Book Title: Prekshadhyana Kayotsarga
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ Bદ થાય છે અને એટલે જ તે શાંત-શિથિલ સ્થિતિમાં ઘુડી રહે છે. જ્યારે જ્યારે વ્યક્તિ કોઈ પણ શારીરિક (માનસિક યા વાચિક) ક્રિયામાં પ્રવૃત્ત હાય છે, ત્યારે ત્યારે મસ્તિષ્કના આદેશાનુસાર નાડીઓની અંદરના વિદ્યુતપ્રવાહને તીવ્ર કરી દેવામાં આવે છે, જે વિદ્યુત-ચુંબકાને સક્રિય બનાવી દે છે. માંસપેશીઓ સંકુચિત થાય છે, હાથ વળવા માંડે છે અને ત્યારે મૂઠી બંધ કરી શકાય છે. સૂક્ષ્મ ક્રિયાત્મક કેટલા સ્નાયુઓ (મેટર નવ્ઝ)ને ગતિ આપવાની છે, તેના આધાર પ્રયત્નની તીવ્રતા પર છે. ઊંઘ, આરામ અને ક્રિયાત્મકતા આ ત્રણે સ્થિતિમાંથી વ્યક્તિ આખા દિવસમાં કેટલીયે વાર પસાર થતી રહે છે, પરંતુ આ ત્રણ કરતાં એક ચાથી પરિસ્થિતિ પણ છે જે અસામાન્ય હાવા છતાં કેટલીક વ્યક્તિઓનાં દૈનિક જીવનમાં વારંવાર બને છે, અને તે સ્થિતિ છે તીવ્ર તનાવની. સતત પીસેલાં જડમાં, ખેંચાયેલી ભ્રમરો અને આમાશયની માંસપેશીઓનું કડકપણું—આ બધાં આવા પ્રકારની પરિસ્થિતિનાં પ્રત્યક્ષ ચિહ્નો છે. આ સ્થિતિમાં આપણા શરીરસ્થ વિદ્યુતચુંબકના અતિ તીવ્ર વિદ્યુતપ્રવાહના કારણે અતિચુંબકીકરણ થાય છે; જેના પરિણામે આપણી માંસપેશીઓનાં દલ સ્થાયી સંકોચનની એક જ સ્થિતિમાં રહે છે. જો કે તે ઘણી વખત બિનજરૂરી હાય છે. તેને કારણે આપણી સ્નાય વિક અને માંસપેશીય ઊજાના મોટા પ્રમાણુના જથ્થા વ્યર્થ જાય છે, કારણ કે આ પરિસ્થિતિમાં વિદ્યુતના વ્યય થાય છે. 21 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66