Book Title: Prekshadhyana Kayotsarga
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ મનુષ્ય સહિત બીજાં બધાં પ્રાણીઓમાં આ આંતરિક તંત્ર હોય છે જ અને તેની પ્રતિક્રિયા, જે, પ્રાણીને સંકટ સમયની સ્થિતિમાં મુકાબલે કરવા અથવા તેનાથી ભાગવા માટે તૈયાર કરે છે, અનૈચ્છિક રૂપે (સ્વતઃ) ઘટિત થાય છે. જ્યારે સંકટની પરિસ્થિતિ વારંવાર આવે છે, ત્યારે “દબાવ– તંત્ર વારંવાર સક્રિય બને છે. જે ઉપર્યુક્ત વણિત શારીરિક સ્થિતિ લાંબા સમય સુધી ચાલ્યા કરે અથવા તેનું વારે વારે પુનરાવર્તન થાય તે શારીરિક-માનસિક ભયંકર ગડબડ. ઉત્પન્ન થાય છે. એ જ રીતે જે સતત રક્તચાપ (લેહીનું દબાણ) ઊંચું રહે અને રક્તવાહિનીઓની સંકેચન સ્થિતિ સતત રહ્યા કરે છે તેનું પરિણામ નીચે પ્રમાણે થઈ જાય છે. હાર્ટએટેક અથવા લેહીનું દબાણ-હેમરેજ (મસ્તિષ્કની રક્તવાહીનીઓનું ફાટી જવું). જે આમાશય વગેરે પાચન અવયને મળતું લેહી, તેની માત્રા સતત લાંબા સમય સુધી ક્ષીણ રહે તે પાચનક્રિયામાં ગરબડ ઉત્પન્ન થાય છે. જે શ્વાસની ગતિ લાંબા સમય સુધી સતત ઝડપી રહે તે. તેને પરિણામે દમ, શ્વાસ વગેરે રોગ થાય છે. માંસપેશીએના સતત લાંબા સમય સુધીના તનાવને લીધે, માથું, ગરદન અને ખભામાં દર્દ અને પીડા શરૂ થાય છે. આ બધી ગરબડે સિવાય પણ નિરંતર તનાવથી માનસિક આતંકની ભાવના ઉત્પન્ન થઈ શકે છે, જે વિનાકારણે ભયના રૂપમાં પરિવર્તિત થાય છે. તે ફક્ત ભયપ્રેરક જ નથી હોતી, પરંતુ માનવને તદ્દન નિવી કે હતાશ બનાવી દે છે. તેનું મૂળ કારણ એ છે કે સતત દબાણને લીધે ગ્રંથિતંત્રમાં પ્રથમ ગરબડ ઉત્પન્ન Jain Education International For Private 315rsonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66