Book Title: Prachin Shwetambar Arvachin Digambar Author(s): Vidyavijay Publisher: Harshchandra Hirabhai Shah View full book textPage 6
________________ ફથી અશાન્તિ રૂપ અગ્નિથી પ્રજ્વલિત થએલા સમયમાં શાન્તિપ્રિય જૈન પ્રજાએ વાસ્તવિક શાતિ ફેલાવવાની જરૂર છે, પર તુ અફસોસની વાત છે કે આવા સમયમાં, ચર્ચાઈ ગએલા. વિષયેને પણ એક મહેસું રૂપ આપી કેટલાક દિગમ્બર મહાનુભા, તામ્બરે ઉપર આક્ષેપપ્રયુક્ત શબ્દથી ભરપૂર લેખ, પ્રસ્તાવનાઓ વિગેરે બહાર પાડી સુતા સિંહને જગાડવાનું પણ સાહસ કર્યા વિના રહેતા નથી. હવે જે હેવાઓના લેખોને ઉચિત જવાબ આપવામાં ન આવે તે ભદ્રિક જીના અંન્તષ્કરણમાં તે વાત અવશ્ય ઠસી જાય કે દિગમ્બરનું કહેવું સાચું છે, અને તેટલાજ માટે કેટલાક હિતૈષીઓની પ્રેરણાથી આ લેખ લખ ઉચિત ધાર્યો છે. દિગમ્બર મતની ઉત્પત્તિ. હવે આપણે દિગમ્બર મતની ઉત્પત્તિને છેડે ખ્યાલ કરીએ. શ્વેતામ્બર મતના ગ્રન્થમાં એ સ્પષ્ટ પાઠ છે કે-શ્રી મહાવીર દેવના નિર્વાણ થયા બાદ ૬૦૯ વ શ્રી શિવભૂતિ નામન મુનિથી દિગમ્બર મતની ઉત્પત્તિ થઈ છે. સંક્ષેપમાં– વાત એમ બની હતી કે– “રથવીરપુર નગરમાં કે એક દિવસે કૃષ્ણનામા આચાર્ય પધાર્યા, તેઓની સાથે, એક શિવભૂતિ નામના મુનિ હતા, ( આ મુનિ રથવીરપુર નગરના જ હતા.) તેમને રાજાએ એક રત્નકંબળ હેરાવી, ત્યારે આચાર્ય કહ્યું કે આવું વસ્ત્ર સાધુએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 132