Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
સ્નાત્ર પૂજા સાથે સર્વ-મંગલ-માંગલ્ય, સર્વકલ્યાણકારણું; પ્રધાન સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ્. ૫ (પછી સ્નાત્રિયાઓએ હાથ ધૂપી હાથમાં કળશ લઇ મુખકોશ બાંધી ઉભા રહેવું.)
સયલ કિસર પાય નમી, કલ્યાણક વિધિ તાસ; વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પૂગે આશ. ૧.
ઢાળ
સમકિતગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમસુખ રમ્યા; વીશસ્થાનકવિધિએ તપ કરી, એસી ભાવદયા દિલમાં ધરી. ૧. જો હોવે મુજ શક્તિ ઇસી, સવિ જીવ કરું શાસનરસી; શુચિરસ ઢલતે તિહાં બાંધતા, તીર્થંકર-નામ નિકાચતા. ૨.
સર્વ મંગલોમાં માંગલિક, સર્વ કલ્યાણનું કારણ, અને સર્વધર્મોમાં પ્રધાન એવું શ્રી જૈનશાસન જયવંતુ વર્તે છે. ૫.
દુહાનો અર્થ - સર્વ જિનેશ્વરના ચરણોમાં નમસ્કાર કરી તેઓના કલ્યાણકનો વિધિ હું કહું છું. તે વિધિનું વર્ણન કરવાથી અને સાંભળવાથી સકળ સંઘની આશા પરિપૂર્ણ થાય છે. ૧.
ઢાળનો અર્થ - શ્રી તીર્થંકર પરમાત્મા પૂર્વભવમાં સમ્યકત્વ પામી અનુક્રમે ચારિત્રના સુખમાં રમણતા કરે છે અને વિધિપૂર્વક વીશસ્થાનક તપનું આરાધન કરી આવા પ્રકારની ભાવદયા હૃદયમાં ધારણ કરે છે. ૧.
જો મારામાં એવા પ્રકારની શક્તિ હોય તો સર્વ જીવોને વીતરાગ પરમાત્માના શાસનના રસિયા બનાવું. આવા પ્રકારની નિર્મળ ભાવના ભાવતાં તીર્થંકર નામ નિકાચિત કરે છે. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org