________________ સર્વ ઉત્તરપ્રકૃતિઓમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે ૨૪ના, ૩૧ના, ૩રના ભૂયસ્કાર ઉદયસ્થાનકો સંભવતા નથી. ૨૯ના, ૩૦ના, ૩૩ના, ૩૪ના ભૂયસ્કાર ઉદયસ્થાનકો સંભવે છે. તે આ પ્રમાણે - (1) અતીર્થકર કેવળીને સમુદ્યામાં કાર્પણ કાયયોગમાં ૨૩નું ઉદયસ્થાનક હોય અને ઔદારિકમિશ્નકાયયોગમાં ર૯નું ઉદયસ્થાનક થાય તે પહેલું ભૂયસ્કાર ઉદયસ્થાનક છે. (2) તીર્થકર કેવળીને સમુદ્યામાં કાર્પણ કાયયોગમાં ૨૪નું ઉદયસ્થાનક હોય અને ઔદારિકમિશ્રકાયયોગમાં ૩૦નું ઉદયસ્થાનક થાય તે બીજુ ભૂયસ્કાર ઉદયસ્થાનક છે. (3) અતીર્થકર કેવળીને સમુદ્ધાતમાં ઔદારિકમિશ્નકાયયોગમાં ૨૯નું ઉદયસ્થાનક હોય અને સ્વભાવસ્થ થયા પછી ૩૩નું ઉદયસ્થાનક થાય તે ત્રીજુ ભૂયસ્કાર ઉદયસ્થાનક છે. ઉત્તરપ્રવૃતિઓમાં 6 ભૂયસ્કાર ઉદયસ્થાનક છે. તે અતીર્થકર અને તીર્થકરને આશ્રયીને ક્રમશઃ ૨૯ના, ૩૦ના વગેરે જાણવા. શેષ ઉદયસ્થાનકો ભૂયસ્કાર ઉદયસ્થાનક તરીકે મળતા નથી.” પણ સામાન્યથી સર્વ ઉત્તરપ્રકૃતિઓને વિષે ચાર જ ભૂયસ્કાર ઉદયસ્થાનકો ઘટે છે. તે આ પ્રમાણે-૨૯નું, ૩૦નું, ૩૩નું અને ૩૪નું. ૩૧ના અને ૩૨ના ઉદયસ્થાનકો ભૂયસ્કાર ઉદયસ્થાનક તરીકે મળતા નથી. અતીર્થકરકેવળીને ૨૯ના ઉદયસ્થાનક પછી ૩૩નું ઉદયસ્થાનક થાય છે, ત્યાર પછી ૩૨નું ઉદયસ્થાનક થાય છે અને ત્યાર પછી ૩૧નું ઉદયસ્થાનક થાય છે. આમ ૨૯ના ઉદયસ્થાનક પછી વ્યવહિતપણે ૩૧નું ઉદયસ્થાનક થાય છે. તે વ્યવધાનને ગૌણ કરીને ૩૧નું ભૂયસ્કાર ઉદયસ્થાનક ઘટાવી શકાય. એ જ રીતે તીર્થકર કેવળીના ૩૦ના ઉદયસ્થાનક પછી ૩૪નું ઉદયસ્થાનક થાય છે, ત્યાર પછી ૩૩નું ઉદયસ્થાનક થાય છે અને ત્યાર પછી ૩રનું ઉદયસ્થાનક થાય છે. આમ ૩૦ના ઉદયસ્થાનક પછી વ્યવહિતપણે ૩રનું ઉદયસ્થાનક થાય છે. તે વ્યવધાનને ગૌણ કરીને ૩૨નું ભૂયસ્કાર ઉદયસ્થાનક ઘટાવી શકાય. આ વાત ટીકાકારના કથનને સંગત કરવા સમજવી. બાકી વાસ્તવિકતામાં ૩૧નું અને ૩રનું ભૂયસ્કાર ઉદયસ્થાનક ન જ મળે. અહીં તત્ત્વ કેવળીગમ્ય છે.