________________ સંજ્વલન માનનો ક્ષય 153 (20) ત્યાર પછી સંજ્વલન માયાની બીજીસ્થિતિમાંથી સંજવલન માયાની પ્રથમ કિટ્રિના દલિકો ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે અને ભોગવે છે. સંજવલન માનની ત્રીજી કિટ્ટિની પ્રથમસ્થિતિની શેષ રહેલી 1 આવલિકાના દલિકો સંજવલન માયાની પ્રથમ કિટ્ટિની પ્રથમસ્થિતિમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને ભોગવે છે. સંજવલન માનના સમયજૂન 2 આવલિકામાં બંધાયેલા દલિકો ગુણસંક્રમથી સંજ્વલન માયામાં તેટલા જ કાળે સંક્રમાવીને તેમનો ક્ષય કરે છે. સંજવલન માયાની પ્રથમકિટ્ટિની પ્રથમ સ્થિતિની 1 આવલિકા શેષ રહે ત્યારે સંજવલન માયાની બીજીસ્થિતિમાંથી સંજવલન માયાની બીજી કિષ્ટિના દલિકો ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે અને ભોગવે છે. સંજવલન માયાની પ્રથમકિટ્ટિની પ્રથમસ્થિતિની શેષ રહેલી 1 આવલિકાના દલિકો સંજવલન માયાની બીજી કિટ્ટિની પ્રથમસ્થિતિમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને ભોગવે છે. સંજવલન માયાની બીજી કિટ્ટિની પ્રથમ સ્થિતિની 1 આવલિકા શેષ રહે ત્યારે સંજવલન માયાની બીજી સ્થિતિમાંથી સંજવલન માયાની ત્રીજી કિષ્ટિના દલિકો ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે અને ભોગવે છે. સંજવલન માયાની બીજી કિટ્ટિની પ્રથમસ્થિતિની શેષ રહેલી 1 આવલિકાના દલિકો સંજવલન માયાની ત્રીજી કિટ્ટિની પ્રથમસ્થિતિમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને ભોગવે છે. સંજ્વલન માયાની આ ત્રણે કિષ્ટિઓના ઉદયકાળમાં બીજસ્થિતિના દલિકો ગુણસંક્રમથી સંજવલન લોભમાં સંક્રમાવે છે. સંજવલન માયાની ત્રીજી કિષ્ટિની 1 આવલિકા શેષ રહે ત્યારે સંજવલન માયાના બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે.