Book Title: Padarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 174
________________ સંજ્વલન માનનો ક્ષય 153 (20) ત્યાર પછી સંજ્વલન માયાની બીજીસ્થિતિમાંથી સંજવલન માયાની પ્રથમ કિટ્રિના દલિકો ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે અને ભોગવે છે. સંજવલન માનની ત્રીજી કિટ્ટિની પ્રથમસ્થિતિની શેષ રહેલી 1 આવલિકાના દલિકો સંજવલન માયાની પ્રથમ કિટ્ટિની પ્રથમસ્થિતિમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને ભોગવે છે. સંજવલન માનના સમયજૂન 2 આવલિકામાં બંધાયેલા દલિકો ગુણસંક્રમથી સંજ્વલન માયામાં તેટલા જ કાળે સંક્રમાવીને તેમનો ક્ષય કરે છે. સંજવલન માયાની પ્રથમકિટ્ટિની પ્રથમ સ્થિતિની 1 આવલિકા શેષ રહે ત્યારે સંજવલન માયાની બીજીસ્થિતિમાંથી સંજવલન માયાની બીજી કિષ્ટિના દલિકો ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે અને ભોગવે છે. સંજવલન માયાની પ્રથમકિટ્ટિની પ્રથમસ્થિતિની શેષ રહેલી 1 આવલિકાના દલિકો સંજવલન માયાની બીજી કિટ્ટિની પ્રથમસ્થિતિમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને ભોગવે છે. સંજવલન માયાની બીજી કિટ્ટિની પ્રથમ સ્થિતિની 1 આવલિકા શેષ રહે ત્યારે સંજવલન માયાની બીજી સ્થિતિમાંથી સંજવલન માયાની ત્રીજી કિષ્ટિના દલિકો ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે અને ભોગવે છે. સંજવલન માયાની બીજી કિટ્ટિની પ્રથમસ્થિતિની શેષ રહેલી 1 આવલિકાના દલિકો સંજવલન માયાની ત્રીજી કિટ્ટિની પ્રથમસ્થિતિમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને ભોગવે છે. સંજ્વલન માયાની આ ત્રણે કિષ્ટિઓના ઉદયકાળમાં બીજસ્થિતિના દલિકો ગુણસંક્રમથી સંજવલન લોભમાં સંક્રમાવે છે. સંજવલન માયાની ત્રીજી કિષ્ટિની 1 આવલિકા શેષ રહે ત્યારે સંજવલન માયાના બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે.

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218