Book Title: Padarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 153
________________ 132 સર્વ ઉત્તરપ્રકૃતિઓમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે અને મોહનીયની ર૬ ઉમેરતા ૧૩૮ના, ૧૩૯ના, ૧૪રના, ૧૪૩ના સત્તાસ્થાનો થાય તથા નરક 2 વગેરે નામની 13, થિણદ્ધિ 3 અને મોહનીયની 27 ઉમેરતા ૧૩૯ના, ૧૪૦ના, ૧૪૩ના, ૧૪૪ના સત્તાસ્થાનો થાય. ૧૩૪ના સત્તાસ્થાનથી ૧૪પના સત્તાસ્થાન સુધીના સત્તાસ્થાનો ૪થા ગુણઠાણાથી ૭માં ગુણઠાણા સુધીના જીવોને હોય.” પણ ૪થા ગુણઠાણાથી ૭માં ગુણઠાણા સુધીમાં મોહનીયની ર૬ની અને ૨૭ની સત્તા હોતી નથી. તેથી મોહનીયની ૨૬ની અને ર૭ની સત્તાવાળા ઉપરોક્ત સત્તાસ્થાનો ૪થા ગુણઠાણાથી ૭માં ગુણઠાણા સુધીમાં ઘટતા નથી. છતા ટીકાકારે ઉપર પ્રમાણે ઉલ્લેખ કર્યો છે, તેની સંગતિ આ રીતે થઈ શકે - એક મત એવો છે કે અનંતાનુબંધી ૪ની ક્ષપણા દરમ્યાન છેલ્લો થોડો અંશ બાકી રહે ત્યારે દર્શનમોહનીયની ક્ષપણા ચાલુ કરે છે. એટલે એ અંશ મિથ્યાત્વમોહનીયનો ક્ષય થયા પછી અને મિશ્રમોહનીયનો ક્ષય થયા પછી પણ વિદ્યમાન હોય એવી કલ્પનાથી ૪થા ગુણઠાણાથી ૭મા ગુણઠાણા સુધી મોહનીયની ૨૬ની અને ર૭ની સત્તા મળે. આમ આ મત પ્રમાણે ૪થા ગુણઠાણાથી ૭મા ગુણઠાણા સુધીના મોહનીયની ર૬ની અને ૨૭ની સત્તાવાળા જીવોને ઉપરોક્ત સત્તાસ્થાનો હોઈ શકે. | મુખ્યમતે તો ૪થા ગુણઠાણાથી ૭મા ગુણઠાણા સુધીના જીવોને મોહનીયની ર૬ની અને ર૭ની સત્તા ન હોવાથી ૪થી ગુણઠાણાથી ૭માં ગુણઠાણા સુધીના જીવોને મોહનીયની ર૬ની અને ૨૭ની સત્તાવાળા ઉપર કહેલા સત્તાસ્થાનો ન હોય. જો મોહનીયની ૨૬ની સત્તાવાળા ૧૩૮ના, ૧૩૯ના, ૧૪૨ના, ૧૪૩ના સત્તાસ્થાનો અને મોહનીયની ૨૭ની સત્તાવાળા ૧૩૯ના, ૧૪૦ના, ૧૪૩ના, ૧૪૪ના સત્તાસ્થાનો ૧લા ગુણઠાણે માનીએ તો એ પણ શક્ય નથી, કેમકે મોહનીયની ર૬ની સત્તાવાળા ૧૩૯ના, ૧૪૩ના સત્તાસ્થાનો અને મોહનીયની ૨૭ની સત્તાવાળા ૧૪૦ના, ૧૪૪ના સત્તાસ્થાનો ૧લા ગુણઠાણે ન મળે, કેમકે આ

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218