________________
ફિક્તવાદ જs.
stoccabadawcowbassado
मुक्तावली : अत एवोपमानचिन्तामणौ सप्तपदार्थभिन्नतया शक्ति| सादृश्यादीनामप्यतिरिक्तपदार्थत्वमाशङ्कितम् । ननु कथमेत एव पदार्थाः? | शक्तिसादृश्यादीनामप्यतिरिक्तपदार्थत्वात् । तथाहि-मण्यादिसमवहितेन | | वह्निना दाहो न जन्यते, तच्छून्येन तु जन्यते । तत्र मण्यादिना वह्नौ दाहानुकूला | शक्ति श्यते, उत्तेजकेन मण्याद्यपसारणेन च जन्यत इति कल्प्यते ।
મુક્તાવલી : પદાર્થો સાત છે, માટે જ ઉપમાનચિન્તામણિ ગ્રન્થમાં શક્તિ અને | સાદૃશ્ય એ બે પદાર્થોની અતિરિક્ત પદાર્થ તરીકે શંકા કરી છે કે પદાર્થો સાત જ કેમ કહ્યા? શક્તિ અને સાદશ્યને પણ આઠમો અને નવમો પદાર્થ કેમ ન કહ્યો ?
(હવે શક્તિવાદી પોતાના પૂર્વપક્ષ સ્થિર કરે છે.)
સામાન્યતઃ વહ્નિમાંથી દાહ નીકળે છે, પણ જ્યારે તે વદ્ધિની પાસે ચન્દ્રકાન્ત મણિ મૂકવામાં આવે છે ત્યારે તે વહ્નિમાંથી દાહ થતો નથી. જ્યારે ચન્દ્રકાન્ત મણિ દૂર | કરવામાં આવે છે ત્યારે વળી પાછો વહ્મિમાંથી દાહ પેદા થાય છે. અહીં અમારું કહેવું | એ છે કે જો દાહ પ્રત્યે વદ્ધિ જ કારણ હોત તો મણિના સર્ભાવમાં પણ દાહ થવો જોઈએ, કેમકે ત્યારે પણ વહ્નિ તો છે જ, પણ તેમ થતું નથી. એટલે જ એમ કહેવું પડશે કે જ્યારે ચન્દ્રકાન્ત મણિ વદ્ધિની પાસે મૂક્વામાં આવે છે ત્યારે દાહને ઉત્પન્ન કરવાની | વહ્નિમાં રહેલી શક્તિનો તે નાશ કરે છે અને જ્યારે મણિ દૂર થાય છે ત્યારે વહ્નિમાં | દાહાનુકૂલ શક્તિ ઉત્પન્ન થઈ જાય છે. આમ વહ્નિમાં શસિત્તે વોદિતત્ત્વ, શક્સિ| સર્વે હાર્વ એવો અન્વય-વ્યતિરેકસહચાર માનવો જ જોઈએ. આથી “શક્તિ' | નામનો જૂદો પદાર્થ સિદ્ધ થાય છે.
ટિપ્પણ: નૈયાયિક : શક્તિ નામનો ભલે એક જૂદો પદાર્થ સિદ્ધ થયો પણ તેનો સાતમાંથી કોઈપણ પદાર્થમાં સમાવેશ ન કરી શકાય ?
શક્તિવાદી: ના, તે આ રીતે : (૧) શક્તિ દ્રવ્યરૂપ પદાર્થ નથી, કેમકે શક્તિ તો | ગુણાદિમાં પણ રહે છે. જો શક્તિ દ્રવ્યરૂપ પદાર્થ હોય તો દ્રવ્ય તો ગુણાદિમાં રહી શકે
નહિ, એટલે શક્તિ પણ ગુણાદિમાં રહી ન શકે. પણ શક્તિ ગુણાદિમાં રહે તો છે જ, | માટે તેને દ્રવ્ય પદાર્થ સ્વરૂપ ન મનાય. શm: ર વ્યાત્મિ Uાતિવૃત્તિત્વાત્
(૨) શક્તિ ગુણ-કર્મ પદાર્થરૂપ પણ નથી, કેમકે શક્તિ ગુણ-કર્મમાં પણ રહે છે.
www
ન્યાયસિદ્ધાન્તમતાવલી ભાગ-૧૦ (૬