________________
histostatica soboshxoxosoutosowodoodswooshowcase woorde wowo
| विशेषगुणवत्त्वं तत्त्वम् । चत्वारीति । पृथिव्यप्तेजोवायूनां स्पर्शवत्त्वम् ॥
મુક્તાવલી : આકાશ, કાળ, દિશા, આત્માનું સાધર્મ ઃ ૧. સર્વગતત્વ ૨. પરમમહત્ત્વ (પરમ-મહત્પરિમાણવત્ત્વ). આકાશાદિ ચારેય સર્વગત છે, અર્થાત્ સર્વ મૂર્ત દ્રવ્યના સંયોગવાળા છે માટે સર્વગતત્વ એ તેમનું સાધર્મ કહેવાય. એ ચારેય પરમમહત્પરિમાણવાળા પણ છે માટે પરમમહરિભાવિત્ત = પરમમહત્પરિમાણ = પરમમહત્ત્વ એ તેમનું સાધમ્મ થયું. પરમમહત્પરિમાણ - પરમમહત્ત્વ, તેમાં રહેનાર પરમમહત્ત્વત્વ એ જાતિ છે અથવા તો અપકર્ષ-અનાશ્રયપરિમાણત્વરૂપ ઉપાધિ છે.
ટિપ્પણ : પ્રશ્ન ઃ પરમમહત્પરિમાણ = પરમમહત્ત્વ, તેમાં રહેનાર = પરમ| મહત્ત્વત્વ એ શું છે ? જાતિ છે કે ઉપાધિ છે ?
ઉત્તરઃ પરમમહત્ત્વત્વ એ જાતિ છે, કેમકે પરમમહત્પરિમાણ = પરમમહત્ત્વ અનેક | છે, માટે અનેકમાં રહેલ પરમમહત્ત્વત્વ જાતિ બને.
પ્રશ્ન : જે ધર્મ જાતિ બને તે કારણતાવચ્છેદક બનવો જોઈએ તેવો નિયમ છે. જો I પરમમહત્પરિમાણ = પરમમહત્ત્વ કોઈનું પણ કારણ બને તો તે પરમમહત્ત્વમાં કારણતા
રહે અને તો તો કારણતાવચ્છેદક પરમમહત્ત્વત્વ જાતિ બને. પણ પારિમાંડલ્ય પ્રકરણમાં | આપણે જોયું કે પરમમહતુપરિમાણ કોઈનું કારણ બનતું નથી તો પછી પરમ
મહત્પરિમાણ=પરમમહત્ત્વમાં રહેનાર પરમમહત્ત્વત્વ ધર્મ કારણતાનો અવચ્છેદક બનશે | નહિ માટે જાતિ નહિ બને.
ઉત્તર તમે કહ્યું કે પરમમહપરિમાણ કોઈનું કારણ બનતું નથી એ વાત જ ખોટી છે. “મહં સુધી એવું જે આત્માનું માનસપ્રત્યક્ષ થાય છે તેમ “મહં માન' એવું પણ આત્માનું માનસપ્રત્યક્ષ થાય છે. આ પ્રત્યક્ષમાં આત્માનું પરમમહત્ત્વ વિષયવિધયા કારણ બની જાય છે તેથી કારણતાવચ્છેદક આત્માનું પરમમહત્ત્વવ બને છે. આ જ પરમમહત્ત્વત્વ આકાશ આદિમાં પણ છે, માટે કારણતાવચ્છેદક તરીકે સિદ્ધ થતું પરમમહત્ત્વત્વ જરૂર જાતિ બને.
આ સંબંધમાં વાચસ્પતિ મિશ્રનું કહેવું એ છે કે “મદં મહત્' એવી જે આત્માને | પ્રતીતિ થાય છે તે શરીર વછેરેન જ આત્માની પ્રતીતિ છે, સર્વવ્યાપક આત્માની નહિ.
આમ સર્વવ્યાપક આત્માનું પ્રત્યક્ષ થતું ન હોવાથી આત્માનું પરમમાહ પરિમાણ ] » | વિષયવિધયા કારણ બની શકે જ નહિ, તેથી કારણતાવચ્છેદક પરમમહત્ત્વત્વ બની શકે
હsq
વુ હકીકત
ન્યાયસિદ્ધાન્તમક્તાવલી ભાગ-૧૦ (૪)