Book Title: Nyaya Siddhanta Muktavali Part 1
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 244
________________ હassassas s assass = ==== = = == === Echoes stowwsbostados sostisosadostosowstawsexshows wowowowoscosto | બે ય પ્રત્યક્ષની સામગ્રીઓ હાજર છે, તો કયું પ્રત્યક્ષ થશે ? તે કહો. એ જ રીતે એવું જ બીજું દૃષ્ટાન્ન આપીએ કે આમ્રના રૂપ સાથે ચક્ષુનો સંયોગ | થાય છે અને એ આમ્ર સાથે (આમ્ર હાથમાં હોવાથી) ત્વગિન્દ્રિયનો પણ સંયોગ છે. હવે આમ્રના રૂપનું ચાક્ષુષપ્રત્યક્ષ કરવા માટેની વિશેષ સામગ્રી ચક્ષુમનઃસંયોગ અને | સામાન્ય સામગ્રી ત્વમન:સંયોગ - બે ય હાજર છે. અને બીજી બાજુ આમ્રનું સ્પાર્શનપ્રત્યક્ષ કરવાની સામાન્ય કે વિશેષ સામગ્રી તમનઃસંયોગ પણ હાજર છે. તો હવે આમ્રના રૂપનું ચાક્ષુષપ્રત્યક્ષ થશે કે આમ્રનું સ્પાર્શનપ્રત્યક્ષ થશે ? તે કહો. વસ્તુતઃ તો તે વખતે પહેલા દૃષ્ટાન્તમાં આમ્રના રસનું રાસનપ્રત્યક્ષ થાય છે અને બીજા દષ્ટાન્તમાં આમ્રના રૂપનું ચાક્ષુષપ્રત્યક્ષ થાય છે. પણ હવે અમારો પ્રશ્ન એ છે કે અહીં સ્પાર્શનપ્રત્યક્ષની સામગ્રી તમનઃસંયોગ પણ છે જ, તો સ્પાર્શનપ્રત્યક્ષ જ કેમ ન થાય ? અથવા તો એકબીજાની સામગ્રીથી | એકબીજા પ્રત્યક્ષનો પ્રતિબંધ કેમ થઈ ન જાય? અર્થાત્ એ વખતે એકેય પ્રત્યક્ષ ન થાય એવું કેમ ન બને ? | मुक्तावली : अत्र केचित् - पूर्वोक्तयुक्त्या त्वङ्मनःसंयोगस्य ज्ञानहेतुत्वे सिद्धे चाक्षुषादिसामण्याः स्पार्शनादिप्रतिबन्धकत्वमनुभवानुरोधात् कल्प्यत इति । अन्ये तु सुषुप्त्यनुरोधाच्चर्ममनःसंयोगस्य ज्ञानहेतुत्वं कल्प्यते, चाक्षुषादिप्रत्यक्षकाले त्वङ्मनःसंयोगाभावान्न स्पार्शनप्रत्यक्षमिति वदन्ति । મુક્તાવલી : આ જટિલ પ્રશ્નનો ઉત્તર આપતા કેટલાક નૈયાયિકો એમ કહે છે કે સુષુપ્તિમાં જ્ઞાનસામાન્યના અભાવમાં ત્વક્સનઃસંયોગાભાવને કારણ તરીકે નક્કી કર્યું | તે ઉપરથી જ્ઞાન સામાન્ય પ્રત્યે ત્વમનઃસંયોગને કારણ તરીકે નક્કી કર્યું છે. એટલે હવે ! અહીં એ રીતનું જ સમાધાન આપી શકાય કે ચાક્ષુષપ્રત્યક્ષની કે રાસનપ્રત્યક્ષની સામગ્રી | સ્પાર્શનપ્રત્યક્ષની સામગ્રીની પ્રતિબંધક બની જાય છે. અને તેથી જ તે વખતે ત્યાં ચાક્ષુષ | કે રાસન પ્રત્યક્ષ જ થાય છે. આમ આવા અનુભવને લીધે આ રીતે જ કલ્પના કરવી જોઈએ. જયારે બીજા કેટલાક નૈયાયિકો જુદી જ વાત કરે છે. તેમનું કહેવું એમ છે કે, સુષુપ્તિકાળમાં જ્ઞાન સામાન્યાભાવ છે એનું કારણ ત્યાં ચર્મમનઃસંયોગનો જે અભાવ છે ? જ જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૩૩) ] Longmore

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284