________________
હassassas s assass = ==== = = == === Echoes stowwsbostados sostisosadostosowstawsexshows wowowowoscosto
| બે ય પ્રત્યક્ષની સામગ્રીઓ હાજર છે, તો કયું પ્રત્યક્ષ થશે ? તે કહો.
એ જ રીતે એવું જ બીજું દૃષ્ટાન્ન આપીએ કે આમ્રના રૂપ સાથે ચક્ષુનો સંયોગ | થાય છે અને એ આમ્ર સાથે (આમ્ર હાથમાં હોવાથી) ત્વગિન્દ્રિયનો પણ સંયોગ છે.
હવે આમ્રના રૂપનું ચાક્ષુષપ્રત્યક્ષ કરવા માટેની વિશેષ સામગ્રી ચક્ષુમનઃસંયોગ અને | સામાન્ય સામગ્રી ત્વમન:સંયોગ - બે ય હાજર છે. અને બીજી બાજુ આમ્રનું
સ્પાર્શનપ્રત્યક્ષ કરવાની સામાન્ય કે વિશેષ સામગ્રી તમનઃસંયોગ પણ હાજર છે. તો હવે આમ્રના રૂપનું ચાક્ષુષપ્રત્યક્ષ થશે કે આમ્રનું સ્પાર્શનપ્રત્યક્ષ થશે ? તે કહો. વસ્તુતઃ તો તે વખતે પહેલા દૃષ્ટાન્તમાં આમ્રના રસનું રાસનપ્રત્યક્ષ થાય છે અને બીજા દષ્ટાન્તમાં આમ્રના રૂપનું ચાક્ષુષપ્રત્યક્ષ થાય છે.
પણ હવે અમારો પ્રશ્ન એ છે કે અહીં સ્પાર્શનપ્રત્યક્ષની સામગ્રી તમનઃસંયોગ પણ છે જ, તો સ્પાર્શનપ્રત્યક્ષ જ કેમ ન થાય ? અથવા તો એકબીજાની સામગ્રીથી | એકબીજા પ્રત્યક્ષનો પ્રતિબંધ કેમ થઈ ન જાય? અર્થાત્ એ વખતે એકેય પ્રત્યક્ષ ન થાય
એવું કેમ ન બને ? | मुक्तावली : अत्र केचित् - पूर्वोक्तयुक्त्या त्वङ्मनःसंयोगस्य ज्ञानहेतुत्वे सिद्धे चाक्षुषादिसामण्याः स्पार्शनादिप्रतिबन्धकत्वमनुभवानुरोधात् कल्प्यत इति । अन्ये तु सुषुप्त्यनुरोधाच्चर्ममनःसंयोगस्य ज्ञानहेतुत्वं कल्प्यते, चाक्षुषादिप्रत्यक्षकाले त्वङ्मनःसंयोगाभावान्न स्पार्शनप्रत्यक्षमिति वदन्ति ।
મુક્તાવલી : આ જટિલ પ્રશ્નનો ઉત્તર આપતા કેટલાક નૈયાયિકો એમ કહે છે કે સુષુપ્તિમાં જ્ઞાનસામાન્યના અભાવમાં ત્વક્સનઃસંયોગાભાવને કારણ તરીકે નક્કી કર્યું | તે ઉપરથી જ્ઞાન સામાન્ય પ્રત્યે ત્વમનઃસંયોગને કારણ તરીકે નક્કી કર્યું છે. એટલે હવે ! અહીં એ રીતનું જ સમાધાન આપી શકાય કે ચાક્ષુષપ્રત્યક્ષની કે રાસનપ્રત્યક્ષની સામગ્રી | સ્પાર્શનપ્રત્યક્ષની સામગ્રીની પ્રતિબંધક બની જાય છે. અને તેથી જ તે વખતે ત્યાં ચાક્ષુષ | કે રાસન પ્રત્યક્ષ જ થાય છે. આમ આવા અનુભવને લીધે આ રીતે જ કલ્પના કરવી જોઈએ.
જયારે બીજા કેટલાક નૈયાયિકો જુદી જ વાત કરે છે. તેમનું કહેવું એમ છે કે, સુષુપ્તિકાળમાં જ્ઞાન સામાન્યાભાવ છે એનું કારણ ત્યાં ચર્મમનઃસંયોગનો જે અભાવ છે ?
જ
જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૩૩) ]
Longmore