Book Title: Nyaya Siddhanta Muktavali Part 1
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 225
________________ = = = = ==== ===== == == = ====== ==== ====== = = = = kkkkkkkkkkkMkkMkkMkkuMkkdodkodkk0660606 (૩) અન્યતાર્કિક (સાંખ્યયોગ) પ્રત્યક્ષ, અનુમાન અને ઉપમાન એમ ત્રણ જ પ્રમાણ માને છે. (૪) ગૌતમ (નૈયાયિક) ઉપરોક્ત ત્રણ + શબ્દ = ચાર જ પ્રમાણ માને છે. (૫) પ્રભાકર (મીમાંસક) ચાર + અર્થપત્તિ = પાંચ પ્રમાણ માને છે. (૬) કુમારિલ ભટ્ટ (મીમાંસક તથા વેદાન્તી) પાંચ + અનુપલબ્ધિ = છ પ્રમાણ | માને છે. (૭) પૌરાણિક છ + સંભવ અને ઐતિહ્ય = આઠ પ્રમાણ માને છે. આગળ ન્યાયસૂત્રનું પ્રત્યક્ષનું લક્ષણ આપ્યું છે. ન્યાયદર્શન અને તેની ઉપર રચાયેલા ભાષ્ય વગેરેના રચયિતાઓ આ પ્રમાણે છે : (૧) ન્યાયદર્શન – ગૌતમ મુનિ. (૨) ન્યાયભાષ્ય - વાત્સ્યાયન. (૩) ન્યાયવાર્તિક - ઉદ્યોતકર. (૪) ન્યાયતાત્પર્ય ટીકા - વાચસ્પતિમિશ્ર. (૫) ન્યાયપરિશુદ્ધ - ઉદયનાચાર્ય. (૬) મુક્તાવલિ (પ્રસ્તુત) - વિશ્વનાથ પંચાનન. (ન્યાયસૂત્ર ઉપર વૃત્તિરૂપે) कारिकावली : प्रत्यक्षमप्यनुमितिस्तथोपमितिशब्दजे । | मुक्तावली : प्रत्यक्षेति इन्द्रियजन्यं ज्ञानं प्रत्यक्षम् । यद्यपि मनोरूपेन्द्रियजन्यं सर्वमेव ज्ञानं, तथाऽपीन्द्रियत्वेन रूपेणेन्द्रियाणां यत्र ज्ञाने करणत्वं | तत्प्रत्यक्षमिति विवक्षितम् । મુક્તાવલી : ઈન્દ્રિયથી ઉત્પન્ન થતું જ્ઞાન એ પ્રત્યક્ષ કહેવાય છે. પ્રશ્ન : અનુમિત્યાદિ જ્ઞાન પણ હવે તો પ્રત્યક્ષાત્મક બની જવાની આપત્તિ આવશે, કેમકે તે અનુમિત્યાદિ જ્ઞાન પણ મનરૂપી ઈન્દ્રિયથી જ ઉત્પન્ન થાય છે, કેમકે જ્ઞાનાવચ્છિન્નજ્ઞાન એ આત્મમનઃસંયોગ વિના તો આત્મામાં ઉત્પન્ન થઈ શકે જ નહિ. એટલે અનુમિત્યાદિ જ્ઞાનમાં પણ મનસ્વરૂપ ઈન્દ્રિય કારણ બને જ છે તેથી તે પણ ઈન્દ્રિયજન્ય જ્ઞાન બની જ જાય છે. નૈયાયિક : તમારી વાત બરોબર છે. એટલે હવે અમે એમ કહીશું કે ઈન્દ્રિયત્વેન swqqqqq ચાયસિદ્ધાન્તકતાવલી ભાગ-૧૦ (૨૦૧૪). W

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284