________________
• સંસાર ત્યાગ એટલે પરભાવમાંથી વિરમવું અને સ્વભાવમાં રમવું.
છ
• ઉપયોગ શુભરૂપે પરિણમે તો અશુભ અટકે.
• આધ્યાત્મિકતાનો માર્ગ જાગૃતિનો છે તેમ અત્યંત પ્રામાણિકતાનો પણ છે.
• જેની વચ્ચે રહ્યાં છીએ તેને ઉચિત ન્યાય આપીને જ મોક્ષે જવાશે.
•
સંયોગવશાત્ વ્યક્તિને છોડી શકાય પણ તરછોડી શકાતી નથી.
સંયોગોના દૃષ્ટા બનવાથી સંયોગોને પ્રેમથી વિદાય આપી કહેવાય.
• સંયોગો એ પરસત્તા છે અને દૃષ્ટિ એ સ્વસત્તા છે.
• મોક્ષે જવું હોય તો સંસારમાં લઘુત્તમ ભાવે જીવતાં શીખવું જોઈએ.
• બહુ ઘૂંટાયેલું હોય તે અવ્યક્તપણે કાર્યશીલ રહે છે.
•
દુઃખ ભોગવવાથી મુક્તિ નહિ થાય પણ સાચી સમજથી મુક્તિ થાય.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૦૮