________________
.
• આત્માની કલ્પશક્તિ વિકલ્પરૂપે પરિણમે છે. નિર્વિકલ્પ પરિણમન એ મોક્ષમાર્ગ છે.
• જ્યાં ક્ષયોપશમભાવ છે, ત્યાં પુરુષાર્થ છે.
અઘાતિકર્મ વિષે માત્ર ઔયિક ભાવ
હોવાથી પુરુષાર્થ નથી.
સંસાર રાગ-ભોગ-ગ્રહણ સ્વરૂપ છે. ધર્મ વિરાગ- ત્યાગ-સહિષ્ણુતા સ્વરૂપ છે.
• સ્વભાવનો પ્રભાવ જ પ્રકૃષ્ટ હોય છે અને એવો પ્રભાવ જ સ્વભાવમાં લઈ જાય છે.
• વિનય એટલે કૃતજ્ઞતા, અહમ્ મુક્તિ અને અર્પણતા.
• અંતરમાં ચૈતન્યની સ્વસત્તાનું જેટલું અવલંબન તેટલો
સાધકભાવ.
• પરવશતાથી અતિક્રમણ છે. સ્વવશતાથી પ્રતિક્રમણ છે.
•
પ્રકૃતિને વશ થવાથી અભિપ્રાય બંધાય છે. પ્રજ્ઞાશક્તિથી અભિપ્રાય છૂટે છે.
એકાગ્રતા એ સામાયિક નથી પરંતુ સમતા એ સામાયિક છે. • જે અસત્નો દૃષ્ટા બને તે જ સત્નો ભોક્તા બને.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૧૪