Book Title: Nijanandno Nishkarsh
Author(s): Muktidarshanvijay
Publisher: Muktidarshanvijay

View full book text
Previous | Next

Page 169
________________ . દોષ જીવતા જાગતા ઊભા રાખીને દુઃખ દૂર કરવાથી દુઃખના ડાળ-પાંખડાં કપાય છે પણ મૂળ કપાતા નથી. સુખનું કારણ પરપદાર્થ નથી પણ આત્મામાં રહેલો સ્વયંનો શાંતરસ છે. દુઃખનું કારણ પરપદાર્થ નથી પણ આત્મામાં રહેલાં તામ-રાજસના દુર્ભાવ છે. • સુખ દુઃખનું કારણ શું સામગ્રી છે કે આપણી અંદરની પરિણિતિ છે ? વિચારો ! • સાધન સહિતતાથી નહિ પણ સાધન રહિતતાથી સુખ છે. . • જેવું હશે તેવું ચાલશે, ભાવશે, ફાવશે, ગમશે એવી વૃત્તિના માણસો દુઃખી થાય નહિ. દુઃખમાં જ્ઞાતાદૃષ્ટા બની દુઃખ સહન કરી, સુખ-દુઃખથી પર રહે તે અતિમાનવ, એ મોક્ષ પામે. કલ્પિત સુખ સાન્ત હોય છે જ્યારે નિર્વિકલ્પ સુખ અનંત હોય છે. • સમજ ટકે તો દુઃખ ઘટે. . ભગવાનનું શાસન મળ્યા પછી દુઃખી થવું અશક્ય છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૬૨

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172