Book Title: Nijanandno Nishkarsh
Author(s): Muktidarshanvijay
Publisher: Muktidarshanvijay

View full book text
Previous | Next

Page 155
________________ બ) પ્રતિસમય નિર્વિકાર પરિણમન એ મોક્ષમાર્ગ છે. પ્રતિસમય વીતરાગ પરિણમન એ મોક્ષમાર્ગ છે. દયા એ ભાવ છે જ્યારે દાન એ ક્રિયા છે. • હૃદયના કંપનને અનુસરીને જે પ્રવર્તના થાય એ અનુકંપા કહેવાય. • દૃષ્ટિ વિનાનો વ્યવહાર તો ચક્રાવો છે. એ કાંઈ કેન્દ્રગામી- આત્મગામી ગતિ નથી. ગતિને સ્થિતિમાં પલોટવા પ્રગતિની જરૂર છે. • નિશ્ચય સાપેક્ષ વ્યવહાર એ પ્રગતિ છે જ્યારે નિશ્ચય નિરપેક્ષ કોરો વ્યવહાર એ ગતિ છે. • અંતરતમથી અભેદ થવાય તો બહારના બધાંય ભેદ ટળી જાય. • અધ્યાત્મમાં સંઘર્ષ એટલે ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર અને બહારમાં બનતા બનાવ પ્રતિ દૃષ્ટાભાવ. • સ્વીકારની ભૂમિકા ઉપર મોક્ષ છે. કર્તુત્વની ભૂમિકા ઉપર મોક્ષ નથી. નિજાનંદનો નિષ્કર્ષ ૧૪૮

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172