Book Title: Nijanandno Nishkarsh
Author(s): Muktidarshanvijay
Publisher: Muktidarshanvijay

View full book text
Previous | Next

Page 157
________________ છ ક્રિયામાં જ્ઞાન, અને વ્યવહારમાં નિશ્ચય ભળે તો દ્રવ્ય એના સ્વભાવમાં આવે. • વ્યવહારમાં કરવાપણું છે, નિશ્ચયમાં થવાપણું છે જ્યારે આત્મામાં હોવાપણું છે. જો વ્યવહાર ખરેખર વ્યવહાર, તો નિશ્ચય ખરેખર નિશ્ચય. • જે છૂટું ન પડે તે REAL-નિરપેક્ષ-નૈશ્ચયિક સત્ છે, જે છૂટું પડી જનાર છે તે RELATIVE-સાપેક્ષ-વ્યવહારિક સત્ છે. • ગ્રહણ-ત્યાગ આત્માના મૌલિક સ્વરૂપમાં નથી, એ નિષેધાત્મક ધર્મ છે, જે વ્યવહારનય સંમત છે. • અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાનો અનુભવ ન થઈ શકે, પણ સ્વભાવના આશ્રયે થઈ શકે. • જીવને મંદિર-ઉપાશ્રય-અનુષ્ઠાન-ધર્મક્રિયાનો ખપ છે પણ આત્માનો ખપ નથી, એ આશ્ચર્ય નથી ! • તત્ત્વને જાણવું એ વ્યવહારનય છે જ્યારે તત્ત્વાનુસારી તત્ત્વદષ્ટિ કેળવવી એ નિશ્ચયનય છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૫૦

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172