Book Title: Nijanandno Nishkarsh
Author(s): Muktidarshanvijay
Publisher: Muktidarshanvijay

View full book text
Previous | Next

Page 156
________________ . પર્યાય અને ગુણ એ પણ દ્રવ્ય એવા આત્માના જ છે પરંતુ પરિણમન સ્વતંત્ર છે. દ્રવ્યધર્મ કરતાં ભાવધર્મ ઘણો ચઢિયાતો છે. કારણ દ્રવ્યમાં મર્યાદા છે, ભાવમાં વ્યાપકતા છે. આંશિક શુદ્ધિ એ સાધન છે તો પૂર્ણ શુદ્ધિ એ સાધ્ય છે. ક્ષાયોપશમિકભાવ એ સાધન છે. તો ક્ષાયિકભાવ એ સાધ્ય છે. છોડવું એ વ્યવહાર છે પરંતુ છૂટી જવું, ભૂલાઈ જવું અને છૂટા પડી જવું એ નિશ્ચય છે... • સામર્થ્ય વધે તો નિશ્ચયની સાધના કરી શકાય અને ઘટે તો વ્યવહારથી સાધના કરી શકાય. • જ્ઞાનધારામાં સ્વપણું છે જ્યારે યોગધારા, શેયધારા, કર્મધારામાં પરપણું છે. ચિત્તશુદ્ધિના લક્ષ્ય વિહોણી ક્રિયા એ માત્ર ક્રિયા જ રહે છે. • જ્ઞાનથી કરાતી જ્ઞાનક્રિયા જ મોક્ષ પ્રાપ્યકારી છે. . સંસારમાં ભેદથી ભેદમાં પ્રવર્તન છે જ્યારે અધ્યાત્મમાં અભેદથી અભેદમાં પ્રવર્તન છે. ૧૪૯ નિશ્ચય વ્યવહાર

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172