Book Title: Nijanandno Nishkarsh
Author(s): Muktidarshanvijay
Publisher: Muktidarshanvijay

View full book text
Previous | Next

Page 147
________________ • . d સાધ્યનો નિર્ણય, તેનું નામ નિશ્ચય અને સાધ્યની સિદ્ધિ માટે સુયોગ્ય સાધનોમાં પ્રવૃત્તિ, તેનું નામ વ્યવહાર. • વિશ્વમાં કોઇપણ કાર્ય એવું નથી કે ઉપાદાન અને નિમિત્ત એ ઉભય કારણ સિવાય ઘટમાન થતું હોય. . ગુણમાં સુખ દેખાઈ જાય અને તેથી ગુણ એજ જીવન બની જાય ત્યારે વ્યવહાર ધર્મ આવ્યો કહેવાય. અધ્યાત્મને શુભક્રિયા સામે વિરોધ નથી પણ તે શુભક્રિયામાં કરાતાં-થતાં કર્તાપણાના ભાવ સામે વિરોધ છે. ક્રિયા કરતાં ભાવ ચઢે અને ભાવ કરતાં વિવેક ચઢે. પર્યાયષ્ટિ એ વિશેષભાવ છે તેથી એ દૃષ્ટિથી જોવામાં રાગ થાય છે અને વિકલ્પભાવ આવે છે. દ્રવ્યદૃષ્ટિમાં રાગ નથી થતો અને તેથી વિકલ્પરહિતતા હોય છે. પર્યાય એ સપાટી છે. દ્રવ્ય એ દળ છે મૂળ છે મૌલિક છે. અનુભવ પર્યાયમાં થાય છે. જીવ માત્રની ભૂલ પર્યાયમાં છે. દ્રવ્યમાં તો ગુણરસ પડેલો જ છે પણ જીવની તે તરફ દષ્ટિ નથી. નિજાનંદનો નિષ્કર્ષ ૧૪૦

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172