Book Title: Lalit Vistara Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 213
________________ લલિતવિસ્તરા ભાગ-૨ - લલિતવિસ્તરામાં બતાવેલા ત્રણ શ્લોકો સુગમ જ છે, ફક્ત દન્ત તથા વર્શનાવેવ એ લલિતવિસ્તરાના કથનનો અર્થ કરે છે • ક્રૂત્ત એ શબ્દ પ્રત્યવધારણમાં છે, તેથી પ્રત્યવધારણ કરનાર પુરુષને તે પ્રકારનું દર્શન હોવાથી જ=કૂવામાં પડવાના કારણના વિચાર વગર ઉત્તારણના ઉપાયના માર્ગણનું જ દર્શન હોવાથી, તેના ઉપાયનું માર્ગણ ન્યાય છે એ પ્રકારે અન્વય છે, રોપવ્યુવાસેન એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે વચનવ્યતિરિક્ત પ્રમાણના પરિહારથી=આગમવચનને છોડીને અન્ય પ્રમાણના પરિહારથી, અથવા સાદિ-અનાદિ વિચટનના વિચારના પરિહારથી=બ્રહ્મથી સંસારી જીવોનું વિચટન સાદિ છે અનાદિ છે તેના વિચારના ત્યાગથી, તેના ઉપાયનું માર્ગણ ઘટે છે એમ મૂળ સાથે સંબંધ છે, વં ચ ઇત્યાદિ આર્યાનો અર્થ કરે છે • વં=આવા પ્રકારના વચનના પ્રામાણ્યથી, ૬ સમુચ્ચયમાં છે, અદ્વૈતે=આત્માઓનો એકીભાવ હોતે છતે, નીતિથી=ન્યાયથી, વર્ણવિલોપાદિ=બ્રાહ્મણક્ષત્રિય-વૈશ્ય-ક્ષુદ્રરૂપ વર્ણો તેઓનો વિલોપ અર્થાત્ પ્રતિનિયત સ્વઆચારના પરિહારથી પરવર્ણના આચારનું કરણ એ રૂપ વિલોપ અને આદિ ગ્રહણથી સ્વઆચાર-પરઆચારની અનુવૃત્તિરૂપ સંકર, અસંગત છે=અયુક્ત છે, તેને જ કહે છે=અદ્વૈત હોતે છતે નીતિથી વર્ણવિલોપાદિ અસંગત છે તેને જ કહે છે - પરમ પુરુષ સ્વરૂપ બ્રહ્મમાં વર્ણનો અભાવ હોવાથી=બ્રાહ્મણ આદિ વર્ણના વિભાગનો અભાવ હોવાથી, બ્રહ્મમાં વર્ણવિભાગ ન થાઓ, તેના અંશભૂત આત્માઓમાં થશે=વર્ણવિભાગ થશે, એ પ્રકારની આશંકા કરીને કહે છે અને ક્ષેત્રવિદ્ જીવોના દ્વૈતનો ભાવ હોવાથી=ક્ષેત્રવિદ્ પણ મુક્ત-અમુક્તના ભેદથી વૈવિધ્યને જ આશ્રિત છે આથી, તેઓમાં પણ વર્ણનો વિભાગ નથી, આથી=સંસારી જીવોમાં વર્ણનો વિભાગ નથી આથી, કેવી રીતે અવિદ્યમાન એવી વર્ણવ્યવસ્થામાં વર્ણવિલોપાદિ તાત્ત્વિક છે ? અર્થાત્ તાત્ત્વિક નથી, ઇત્યાદિ=એ વગેરે, અન્ય પણ વચન ગ્રહણ કરાય છે=અદ્વૈતવાદીનાં અન્ય વચનો પણ ઇત્યાદિથી ગ્રહણ કરાય છે. - ૧૯૦ - - - આ પણ=અનંતરમાં કહેવાયેલું, શું વળી, પરંપરાથી કહેવાયેલું ? પ્રાચ્ય=પ્રસ્તુત આલાવાના પૂર્વપક્ષીનું કથન, એ અપિ શબ્દનો અર્થ છે, આ પણ પ્રતિક્ષિપ્ત છે=નિરાકૃત છે, કયા કારણથી નિરાકૃત છે ? એથી કહે છે શ્રદ્ધામાત્ર ગમ્યપણું હોવાથી=સ્વદર્શનની રુચિમાત્રનું વિષયપણું હોવાથી નિરાકૃત છે, નનુથી કહે છે વચનથી એ પ્રમાણે કહેવાયું છે=શાસ્ત્રવચનથી પૂર્વમાં પાંચ આર્યાઓ દ્વારા કહ્યું એ પ્રમાણે કહેવાયું છે, તે કારણથી કેવી રીતે આ પ્રમાણે=શ્રદ્ધામાત્ર ગમ્ય છે એ પ્રમાણે, કહેવાય છે અર્થાત્ શ્રદ્ધામાત્ર ગમ્ય નથી, પરંતુ વચનથી સ્વીકૃત છે, એથી કહે છે દૃષ્ટાવિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, દૃષ્ટ-ઇષ્ટ અવિરુદ્ધ એવા વચનનું વચનપણું હોવાથી વચન ગમ્ય નથી, પરંતુ શ્રદ્ધાગમ્ય છે એમ અન્વય છે=દૃષ્ટ અર્થાત્ અશેષ પ્રમાણથી ઉપલબ્ધ અર્થાત્ પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી ઉપલબ્ધ ઇષ્ટ અર્થાત્ વચન ઉક્ત જ, તે બેના અવિરોધથી અવિરુદ્ધ વચનનું આગમપણું હોવાથી તેવું આગમવચન અદ્વૈતવાદીનું નથી માટે તેમનું વચન પ્રમાણ નથી, એમ અન્વય છે કયા કારણથી તેઓનું વચન પ્રમાણ નથી ? એથી કહે અન્યથા=દૃષ્ટ-ઇષ્ટ અવિરુદ્ધ લક્ષણના વિરહમાં, તેનાથી=તે વચનથી, પ્રવૃત્તિની અસિદ્ધિ હોવાથી=હેયના હાનની અને =

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278