Book Title: Lalit Vistara Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 230
________________ નમો નિશાશં જિયભયાણ ૨૦૭ અનુપવ્યસનીય જ છે; કેમ કે રૂપિયાથી બ્રાહ્મણોની જેમ નમસ્કારથી અરિહંતોને ઉપકારનો અયોગ છે, તો કેવી રીતે તેનું ફલ છે ?–અવંત સિદ્ધોને કરાયેલા એક નમસ્કારનું ફલ છે ? ઉત્તર અપાય છેeગ્રંથકારશ્રી વડે ઉત્તર અપાય છે – તદ્ આલંબન ચિત્તવૃત્તિથી=ભગવાનના આલંબનવાળી ચિત્તવૃતિથી, નમસ્કારની ક્રિયાનું ફલ છે એમ અન્વય છે. અહીં પ્રશ્ન થાય કે નમસ્કાર કરનારને ભગવાનથી નમસ્કારની ક્રિયાનું ફલ છે તેમ કેમ કહેવાય છે ? તેમાં હેતુ કહે છે – તેમનું આધિપત્ય હોવાથી=નમસ્કાર કરનારની ચિતવૃત્તિમાં ભગવાનનું આધિપત્ય હોવાથી, તેનાથી જ=ભગવાનથી જ, તેનો ભાવ છે=નમસ્કારની ક્રિયાનું ફળ છે. કઈ રીતે ભગવાનથી જ ફળ છે ? તેમાં હેતુ કહે છે – ચિંતામણિ રત્નાદિમાં તે પ્રકારે દર્શન છે, એ પ્રમાણે અમે કહીશું. પંજિકા : तदालम्बनचित्तवृत्तेः, इति-भगवदालम्बनचित्तवृत्तेर्नमस्काररूपायाः, 'तत्फलमि ति सम्बध्यते। नन्वेवं तर्हि न तद् भगवद्भ्य इत्याशङ्क्याह- तदाधिपत्यतो-भगवदाधिपत्यतो भगवन्त एव तच्चित्तवृत्तेस्तज्जनकेषु हेतुषु प्रधानत्वेनाधिपतयः ततः, तत एव=भगवद्भ्यः एव, तद्भावात्=क्रियाफलभावात्, कथमित्याहचिन्तामणिरत्नादौ तथादर्शनात्-चिन्तामण्यादिप्रणिधानादेर्भवत् फलं चिन्तामणिरत्नादेर्भवतीति लोके प्रतीतिदर्शनात् । પંજિકાર્ચ - તાતિવન ...... પ્રતિવર્ણનાત્ | તાતિવનચિત્તવૃત્તઃ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, નમસ્કારરૂપ ભગવદ્ આલંબનવાળી ચિત્તવૃત્તિ હોવાથી તેનું ફલ છે અર્થાત્ નમસ્કારનું ફલ છે, એ પ્રમાણે સંબંધ કરાય છે. આ રીતે=નમસ્કારરૂપ ભગવદ્ આલંબનવાળી ચિત્તવૃત્તિથી ફલ પ્રાપ્ત થાય છે એ રીતે, તો ભગવાનથી તે નથી=ભગવાનથી ફલ મળતું નથી, એ પ્રકારની આશંકા કરીને કહે છે – તેમનું આધિપત્ય હોવાથી ભગવાનનું આધિપત્ય હોવાથી તદ્ જનક હેતુઓમાં અર્થાત્ નમસ્કારકાળમાં વર્તતી ચિતવૃત્તિના જનક હેતુઓમાં ભગવાન જ તેની ચિત્તવૃત્તિના પ્રધાનપણાથી અધિપતિ છે તેથી, તેમનાથી જ=ભગવાનથી જ, તેનો ભાવ હોવાને કારણે=ક્રિયાના ફલનો સદ્ભાવ હોવાને કારણે, નમસ્કાર કસ્તાને ભગવાનથી ફલ થયું છે એમ કહેવાય છે, કેવી રીતે ચિત્તવૃત્તિ ઉપર ભગવાનનું આધિપત્ય છે ? એથી કહે છે – ચિંતામણિ રત્નાદિમાં તે પ્રકારનું દર્શન હોવાથી–ચિંતામણિ આદિના પ્રણિધાન આદિથી થતું ફલ ચિંતામણિ આદિ રત્નથી થાય છે એ પ્રમાણે લોકમાં પ્રતીતિનું દર્શન હોવાથી ભગવાનથી નમસ્કારનું ફલ થાય છે એમ અવય છે.

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278