________________
૧૨ ચકવર્તીનાં નામ- ૧ ભરત, ૨ સગર, ૩ મઘવા, ૪ સનત્કુમાર, ૫ શાંતિનાથ, ૬ કયુંનાથ, ૭ અરનાથ, ૮ સુભૂમ, ૯ મહાપા, ૧૦ હરિણ, ૧૧ જય અને બ્રહ્મદત્ત.
વાસુદેવનાં નામ-૧ ત્રિપુક.૨ વિક, સ્વયંભૂ, ૪પુરુષોત્તમ, ૫ પુરુષસિંહ, ૬ પુંડરીક, ૭ દત્ત, ૮નારાયણ (લક્ષ્મણ) અને ૯ કૃષ્ણ.
૯ બળદેવનાં નામ-૧ અચલ, ૨ વિજય, ૩ સુભદ્ર, ૪ સુપ્રભ, ૫ સુદર્શન, ૬ આનંદ, ૭ નંદન, ૮ રૂપ (રામ) અને ૯ રામ (બલદેવ).
૯ પ્રતિવાસુદેવનાં નામ-૧ અથગ્રીવ, ૨ તારક, ૩ મેરક, મધુ, ૫ નિકુંભ, ૬ બલીન્દ્ર, ૭ પ્રહલાદ, ૮ રાવણ અને ૯ જરાસંઘ.
એ પ્રમાણે ૨૪+૧+૯+૯+૯=૬૩ શલાકા પુરુષો થાય છે. ૬૩ શલાકાપુરુષના માત-પિતા-જીવ વગેરે
૬૩ શલાકાપુરુષના પિતા “પર”-બલદેવ અને વાસુદેવના પિતા એક જ હોય છે. એટલે ૯ ઓછા. તેમજ શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એ ત્રણ તીર્થકર અને ચક્રવર્તી હતા. એથી એ ત્રણ ઓછા એટલે કુલ ૧૨ ઓછા થવાથી ૫૧ થાય, જ્યારે મહાવીરસ્વામીના ગર્ભ પરાવર્તનની અપેક્ષાએ માતા-પિતા બે ગણીએ તો “પર” પિતા થાય. - ૬૩ શાલાકાપુરુષની માતા ૬૧-શાંતિનાથ, કુથુંમાથ અને અરનાથ એ ત્રણ તીર્થકર તથા ચકવર્તી હોવાથી ૩ ઓછા કરવાથી ૬૦ થાય. જ્યારે મહાવીર સ્વામીના ગર્ભપરાવર્તનની અપેક્ષાએ બે માતા થયા તેથી ૬૦+૧=૬૧ થાય.
૬૩ શલાકાપુરુષના શરીર ૬૦-શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એક જ ભવમાં તીર્થકર અને ચક્રવર્તી થવાથી ૩ ઓછા ગણવાથી ૬૦ શરીર થાય.
૬૩ શલાકાપુરુષના જીવ ૫૯-ત્રણ તીર્થકરો (૧૬-૧૭-૧૮ મા) તીર્થકર તથા ચકવર્તીપદ પામ્યા તેથી તે ત્રણ ઓછા, તેમજ શ્રી મહાવીર સ્વામીનો જીવ વાસુદેવ થયેલ. તેથી તે એક ઓછા એમ કુલ ૪ ઓછા થવાથી જીવ ૫૯ થાય.
તીર્થકરો પાંચે ય વર્ણના હોય છે. ચકવર્તી સુવર્ણવર્ણવાળા હોય છે. વાસુદેવ શ્યામ હોય છે. બળદેવ ઉજ્જવલ હોય છે.
૨૬૬
કનકકૃપા સંગ્રહ