Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra Author(s): Buddhivijay Publisher: Bhabher Jain Sangh View full book textPage 7
________________ [૪] દેશને ત્રણ બાજુ ફરતો સમુદ્ર છે અને એકબાજુ રણું છે. તે જાડેજા રજપૂત રાજાને મુલક છે. તે દેશમાં ભચાઉ તાલુકામાં મનફરા ગામ છે જે અઢારે વર્ણની વસ્તીથી ભરપૂર છે. આ ગામ, પૂજ્ય ગુરૂવર્ય દાદા જિતવિજયજીનું જન્મસ્થાન છે. જેનોની ઘણું ઘરની વસ્તીમાં વીશાશ્રીમાળી શાહ ઉકાળ નામે દઢધર્મી શ્રાવક વસે છે (વસતા હતા.) તેમને અવલબાઈ નામના સતીપરાયણ ધર્મપત્ની (સ્ત્રી) હતા આ બંને આપણા ચરિત્ર નાયકના પિતા માતા છે. આ બંને દંપતિ યુગલ સ્વભાવે જનમથીજ સરલ અને મૃદુભાષી હતા. એમનામાં મોટો ગુણ એ હતો કે ધન્ધાથી નિવૃત્ત થતાનો સમય શાંન્તમયપણે નિર્ગમન કરવા ધર્મભાવનાને કંઈક રંગ અંતર આત્મામાં કુદ્રતિ હતો, તેથી ગામમાં પંચમચકિ અને સોળમા શ્રી જિનપતિ શ્રી શાન્તિનાથ ભગવાનના દહેરાસરે જઈ સેવા પૂજા વિધિપૂર્વક કરવાને સારો ટાઈમ ગાળતા હતા. કેમકે પતીકા વેપાર વણજને લીધે આચિકસ્થિતિમાં ઠીક ઠીક સુખી હતા, તેટલેક અંશે સંતોષી આ પતિપત્નિ હતાં. તેમને સંસાર સુખ ભોગવતા અનુક્રમે વીરચંદ અને જાદવજી એમ થયા, તેમનામાં પણ માતા પિતાના ઉચ્ચ સંસ્કાર રેડાયા હતા. ચરિત્રનાયકને જન્મ ચૈત્ર શુદિ ૨ સં. ૧૮૬ મહાપુરૂષોના જન્મ સમયને આપણે પામર પ્રાણી ઓળખી શકતા નથી, તે સમયે ઘણી જાતિના સુચિહે આ પૃથ્વીતળને પાવન કરે છે. મોટામાં મોટી વિભૂતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 94