Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૩૨ )
કુમારનાં વચન સાંભળતાંની સાથે જ તુચ્છ કાઇના ટુકડાની જેમ તે ઔષિધને જમીન પર ફેંકી દઇને તે અવધૂત, મરણની અણી પર દેહમાંથી જીવ નાસે તેવી ઝડપે ત્યાંથી નાઠા ! આમ બનવાનું કારણ એ છે કે દોષ જ એવી વસ્તુ છે કે દોષ કરનારને સપડાવાના પ્રસંગ આવે ત્યારે તે પોતે ધ્રૂજી ઊઠે છે. ૫ ૧૬૨ ૫ આ હાલતે નાસતા ધૃત્તને પકડીને શિક્ષા કરવા જયકુમાર સમ છે, તો પણ ગયેલી વસ્તુ પાછી મળવાથી પેાતાને કૃતાર્થ માનતે હાવાથી ‘ પાપી માલુસ તેના પાપથી જ પાકશે’ એ ષ્ટિએ તે ધૂર્તની પાછળ ન પડયો–ઉપેક્ષા કરી! ૫ ૧૬૩ ૫ જેમ રેગી માણસ, આરામ કરનારા ઉગ્ર ઔષધને લેતી વખતે પ્રથમ તા કષ્ટ પામે છે, છતાં પણ જ્યારે તે ઔષધથી જ પેાતાને આરામ થયા જાણે છે ત્યારે તા પ્રથમ કલેશ આપનારા તે ઔષધની અનુમેાદના કરે છે ! તેમ આ જયકુમારને પણ પહેલાં આવા પ્રવાસા, અરણ્યવાસરૂપ કલેશ સહેવા વિગેરે કષ્ટ પડયું હોવા છતાં એ પ્રમાણે બન્યું તેા જ પાછળથી આ રીતે જંગલમાં પણ પોતાના સ્વાર્થની સિદ્ધિ થવારૂપ સુખ થયું હાવાથી જયકુમાર તે પ્રવાસ અને અરણ્યવાસ વિગેરે કષ્ટને અનુમે દવા લાગ્યા–પ્રશંસવા લાગ્યા ! ॥ ૧૬૪૫ જયકુમારનું ભાગપુરામાં આગમન અને ત્યાંની રાજપુત્રી જોડે પાણિમહુણ !
કોઈ એક વખતે'તા કૂતુહળ માટે અત્યંત શ્યામવર્ણવાળુ વામન ઠીંગણું રૂપ ધારણ કરીને જયકુમાર ભેગવતી નામની પાતાળ નગરીની સરખી ભાગેાએ કરીને સમૃદ્ધ એવી ભેગાપુરી નામની નગરીમાં આવ્યા. ૫ ૧૬૫૫ એ નગરીમાં ૧ ઓખવતી ।
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com