Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
બીજા ઉપર તેવું જ થશે. ૨૫ ગુહા થાય તે માટે ૧૦૦ ને સજા થાય તેવું તે મુસલમાની રાજ્યમાં પણ નહોતું થતું.
અંગ્રેજી ભણવાથી વંઠી જાય. એમ કઈ કહે, પણ તે બંધ કરાવવું યોગ્ય થશે ? નીસરણીથી કઈ પડી જાય તે તેને ભાંગીજ નાખવી ?
મેહ ગેહ–સુધારવી તે જોઇએ ને ? જ–સુધારો, પણ આ તો તોડવાની વાત છે. મેડ ગે–દીક્ષામાં દુષણ પિ કહે છે તે બાબતમાં તમે શું કહો છો ?
જ-કઈ એકલવિહારી હોય ને ગમે તેમ કરે, તો તે માટે સાધુ સંસ્થા જવાબદાર? તે માટે દીક્ષા જ બંધ કરવી ? એ તો “પાડાને વાંકે પખાલીને ડહામ” એવું થયું. બેચાર જણે કર્યું હોય તેમ માને, તે પણ તે માટે બધાને સજા કરો એ ન્યાય ન કહેવાય.
૧૬ વર્ષની અંદર માટે સંમતિ. ૧૬ વર્ષની અંદરના બાળકને કઈ વાલીની રજા સિવાય દીક્ષા આપે તો તે “શિષ્ય ચોર” કહેવાય. તેથી મોટી વયના માટે તો હિંદુ લોકોએ પણ ધાર્મિક કાર્ય માટે સ્વતંત્રતા આપી છે. આત્મકલ્યાણ કરવા દરેક મનુષ્ય સ્વતંત્ર છે. તેને હક છે.
મેવ ધુરં–કહો છે તેના આધારે આપજે. અમે જોઈશું. અહીં લંબાણની જરૂર નથી.
જ–ઘણા આધારે છે. કંટાળશો તે નહીં કહી શકાય.
પછી સાક્ષીએ પંચમહાવ્રત સિદ્ધાતિની ધર્મદ્રષ્ટિએ લંબાણ સમજ આપ્યા પછી જણાવ્યું કે સાધુઓ શ્રત પાળે છે અને શાસ્ત્ર આજ્ઞા પ્રમાણેજ કરે છે, છતાં વિરોધીઓએ બંડ ઉડાવ્યું છે. માત્ર સાધુઓને લોકદ્રષ્ટિએ ઉતારી પાડવા માટે બધી ધાંધલ છે.
સંમતિ ફરજીયાત કયાં સુધી ? મે. ધુરંધરના પ્રશ્નમાં સાક્ષીએ ખુલાસો કર્યો કે ૧૬ વર્ષ સુધી સંમતિ ફરજીઆત છે અને પછી સ્વતંત્ર થાય છે એટલે જરૂર નથી. પછી સાક્ષીએ મોટેથી અને ઝડપથી ધર્મ વિષે બોલતાં કહ્યું કે આપ અમારા ધર્મનું ઉ ન જાણે તેથી કહીએ તેટલું સાંભળવું જોઈએ. નહીં સાંભળે તે અમને ન્યાય શી રીતે મળશે ?
For Private and Personal Use Only