Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
કરી એટલે તેમણે તાલુકા ફોજદારને તપાસ કરવા હુકમ આપ્યો.
મગનલાલ ફોજદાર સાથે પાલી મારવાડમાં તપાસ કરાવી. સ તપાસમાં કેટલું ખર્ચ થયું? જ૦ ૫૦૦ રૂા. ખર્ચ થયું. સ. ક્યાં સુધી તપાસ કરી ? જ બે વર્ષ સુધી તપાસ કરી પણ પત્તો લાગે નહિં, એટલે તપાસ
છેડી દીધી અને ધંધે લાગ્યો. છોકરો ઉંમર લાયક થયા પછી ચીતથી ઉદેપુર જતાં કરાડા આવે છે, ત્યાં અમૃતવિજય મહારાજ પાસે લાવણ્યવિજયના શિષ્ય તરિકે તેમના નામની દીક્ષા લીધી. તેનું નામ દક્ષવિજય પાડયું. તે હકીકત મારા જાણવામાં આવી છતાં તેના કાગળ વગર મારે જવું નહિ–એમ મેં વિચાર રાખેલો. છેવટે
૧૯૮૭ ના શ્રાવણ માસમાં કાગળ આવ્યું, તે હું આપને બતાવું છું. સ૦ એ અક્ષર એના પિતાના છે? જ હા. બાદ હું નાના છોકરાને લઈ ત્યાં ગયો. નાના છોકરાને બે વર્ષથી
દિક્ષા લેવાને ભાવ હતો. કેસરીયાજીની જાત્રા કરી અમે ઉદેપુર આવ્યા. નાના છોકરાની પણ ત્યાં રહેવાની ઈચ્છા થઈ તેથી ત્યાં મૂકીને હું પાછો આવ્યો. પછી બીજો પત્ર આવ્યો કે નાનાની દીક્ષા લેવાની ઈચ્છા થઈ છે, તે જે રજા આપે તે દીક્ષા લે. મેં વિચાર કર્યો કે આનું લગ્ન કરવાનું છે, પણ આ સંસાર અસાર છે તેથી મેં
ત્યાં જઈ ધામધૂમથી દીક્ષા અપાવી. સ. પહેલા છોકરાની દીક્ષામાં તમારી સંમતિ કેમ ન લીધી ? જ૦ ૧૮ વર્ષ પૂરાં થયાં હતા માટે. મારી ભાવના થઈ કે પાંચ વર્ષથી
બહાર રહી મકકમ રહ્યો તે હવે શા માટે દીક્ષા ન આપવી ?
અને છોકરાની દીક્ષા વખતનો ફોટો બતાવ્યો. સ, પિલીસમાં ફરીયાદ કરી તેમાં ૧૩ વર્ષ અને સાધુએ નસાડવાનું
લખાવેલું ? જ હા. લખાવેલું ખરું. સવ તે મહાસુખભાઈએ ખાટું શું કહ્યું ? જઇ સાધુ લઈ ગયા છે–એમ તપાસમાં ન નીકળ્યું. છોકરો એની મેળે
ગયો હતે. અમારે ત્યાં સાધુએ માસું કરેલું એટલે ઓળખતે. સવ મહાસુખભાઈએ ૮ વર્ષ કહ્યાં છે અને ૧૮ વર્ષ શી રીતે થયાં ? જ ૧૯૮૨ માં ગયે અને ૧૯૮૭ માં દીક્ષા લીધી. સત્ર પાંચ વર્ષ કયાં રહ્યો ?
For Private and Personal Use Only