Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan

View full book text
Previous | Next

Page 412
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩ક્ષ વાદી શંકા કરે છે કે-જ્યારે આરંભાદિ કોઈ પ્રકારે સારા નથી તે તે આરંભ૭યસ્તવ આદિમાં કુપ દ્રષ્ટાંત કેમ હિત દેનારો કહ્યો છે ? આના ઉત્તરમાં કહે છે કે એ કવ્યતવ ગૃહસ્થોને લાયક છે, અને સાપેક્ષ યતિને તે પરોપકાર માટે જ હોય છે. જ્યારે કોઇપણ બીજે તે કાર્ય કરનાર ન હોય, ને તે કાર્ય કર્યા વિના માર્ગનો નારો થતો હોય, ત્યારે પહેલેથી કરેલાં ચૈિત્યે આદિમાં કંઈક ગુણની સંભાવનાથી તે ત્યાદિનાં કાર્ય કરવા જેવાં હોય છે. બાકી તો ચત્ય, કુલ, સંધિ, આચાર્ય, પ્રવચન અને મૃત એ બધાનું કાર્ય તેણે કર્યું સમજવું કે જેણે તપ સંયમમાં ઉદ્યમ કર્યો. અહીં પણ અવિવેકનો ત્યાગ કરીને જે માટે પ્રવૃત્તિ થાય છે તેથી તે શ્રેષ્ઠ છે. તે વિવેકનુંજ આ ફલ છે કે જે સારી રીતે બાહ્યનો ત્યાગ થાય છે. એટલે કે જે અવિવેકને ત્યાગ કર્યો તે પછી તે કુટુંબવાળો છે કે નહિ, એ વિચાર તો હિસાબમાંજ નથી અને આ જ કારણથી એટલે અવિવેકનો ત્યાગ કરવાથીજ બીજા પણ કોઈ જાતનો દોષ તે અવિવેક ત્યાગ કરનારને નથી. “તે સુ રાત્તિ' એ સૂત્ર તે વ્યવહારથી ભોગ સામગ્રી સ્વાધીન હોય તો તપ આદિ થવાને લીધે કહેલ છે. ભાવથી તે ત્યાં કહેલે શબ્દ અપિ શબ્દના અર્થમાં છે ને તેથી તે સ્વાધીન ભોગવાળા સિવાયનો બીજો પણ ત્યાગી હોય છે એમ જાણવું અથવા જગતમાં કોણ કોનો સ્વજન નથી, કેને ભોગો નથી મળ્યા ? તે ભોગાદિ છતાં તેમાં દુષ્ટ એ મમત્વ ભાવ થાય છે, તેથી તે છોડવો જોઇએ. જો કે ઉભય સંપન્ન લેકે બીજાઓને ધર્મપ્રવૃત્તિનું કારણ પ્રાયે બને છે, પણ તેટલા માત્રથી દીક્ષાના અર્થિ તે હોવા જ જોઈએ એવો નિયમ નથી. વધારે કહેવાથી સર્ષએમ કહી બંને પ્રકરણનો ઉપસંહાર કર્યો.” શિષ્ય નિષ્ફટિકા ક્યારે ? નિષ્ફટિકા દવ કયાં સુધી ? એ સંબંધમાં શાસ્ત્રકારોએ લખ્યું છે કે –સોળ વર્ષની અંદરનો કોઈ હોય, એને માતાપિતાની આજ્ઞા વિના જે સાધુ દીક્ષા આપે, એને નિષ્ફટિકા નામને ૧૮ મો દોષ લાગે. ૧૬ વર્ષની ઉપર શાસ્ત્ર દૃષ્ટિએ સ્વતંત્ર છે. આથી સ્પષ્ટ છે કે-સોળ વરસની પહેલાંનાને આજ્ઞા વિના દીક્ષા આપે, તેનેજ શાસ્ત્રદષ્ટિએ નિષ્ફટિકા લાગે. શાસ્ત્રોમાં આ રીતે સ્પષ્ટ અક્ષર છે. જૂઓ શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે કે___" सेहणिष्फेडियं जो करेति सो ततिथं वयं अंदिण्णा दाणवेरमणं अतिचरति ! तं केरिसं कहं वा णिप्फेडतो ततियव्वतं अति For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434