Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૧ રાની ઈરછાને લક્ષમાં લેવી જોઈએ. જુઓ ૨૪ ચાન્સરી ૩૧૭. અગર એલીસ વી. લેલીસ તેથી જે બાપ દીક્ષા લે અને તેને દીવાની રાહ પરાય ગણવામાં આવે તે પણ તેના દીકરાની ધાર્મિક વિદ્યા બાબત તેની ઈચ્છા લક્ષમાં લેવી જોઈએ. તેથી બાપ તેના દીકરાના વાલીપણું માટે નાલાયક છે, તેવું જ્યાં સુધી બતાવવામાં ન આવે, ત્યાં સુધી બાપની સત્તામાં દરમ્યાનગીરી આ કટ કરી શકે નહિ. વળી છોકરાનું સાંસારિક હિત હેય તો પણ આ બાબત અરજદારના વકીલને કબુલ કરવી પડેલી, તે પછી આવા પ્રકારનું અર્પણ તે છોકરાના હિત વિરૂદ્ધ હતું તે કેવી રીતે કહી શકાય ? એવી દલીલ કરવામાં આવે છે કે-ગાર્ડીઅનને કાયદો ફક્ત આ લોકના છોકરાના સુખ બાબતને છે, તે દલીલ કેવળ રદ કરવા જેવી છે.
આ છોકરાને બ્રહ્મચર્ય, તપ અને સ્વાધ્યાયને માટે તેનું જીવન અર્પવામાં આવ્યું છે. (અને જ્યાં સુધી તે એકલો નિર્ભયપણે ન રહી શકે ત્યાં સુધી) તેના ગુરૂના આશ્રય નીચે તેને રાખવામાં આવશે. તે છોકરાને આ જીવનમાં સુખ મળ્યું છે અને તેને ભવિષ્યમાં તેવું સુખ નહિ રહેવાનું કોઈ કારણ નથી. (અને જે તેને તેવું સુસુ ન મળે તે સંસારમાં પાછાં આવતાં તેને કોઈ અટકાવે તેમ નથી, તે વાત કબુલ કરવામાં આવે છે.)
અરજદારના એકના એક દીકરાને પાછો મળે તેવી તેની માની ઈચ્છાની હું અત્યંત કદર કરું છું, છતાં પણ આ પ્રસંગે મને પાછો આપવાની કાયદા પ્રમાણે સત્તા નથી અને તેવી સત્તા કદાચને હોત, તો પણ તેણીની અરજ મંજુર કરવી તે સગીરને હિતાવહ નથી, તેથી આ અરજી રદ કરવામાં આવે છે. આ કેસના સંજોગો જોતાં હું ખર્ચ બાબત કાંઈ પણ ઠરાવ કરતા નથી.
તા. ૩૦–૩–૧૯૩૧
સહી. જી. ડેવીસ,
-ડિસ્ટ્રીકટ જજ. (રજુ કરનાર-રા. મનસુખલાલ ડાહ્યાચંદ, ચાણસ્મા)
For Private and Personal Use Only