________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ પ્રકરણમ.
૨૬૫ થાય છે એટલે મેક્ષ સુખ પામવામાં બાધકભુત ભાવને નાશ થાય છે અને એવા કમથી આત્માને મોક્ષ એટલે સકળ સિદ્ધિ સંપ્રાપ્ત થાય છે. ૧૨.
વળી આવા પ્રકારે વૈરાગ્યને અભ્યાસ કરવાથી પુનરૂક્ત દેવ પદ્ધ લાગુ પડ નથી તે વિષે કહે છે –
यपिघातार्थ मन्त्रपदे न पुनरुक्तदोपो ऽस्ति ।
तन्द्रागविषघ्नं पुनरुक्तमउष्टमर्थपदम् ।। १३ ।। ભાવાર્થ–જેમ વિષ ઉતારવાને મંત્રપદે વારંવાર ઉચારતાં દેષ નથી તેમ રગવિષ ઉતારનાર અર્થપદને વારંવાર કહેતાં પુનરૂત દેષ નથી. ૧૩.
વિવેચન–જેનાથી લાભની પ્રતીતિ થઈ છે એવું પ્રથમ સેવેલું ઔષધ રેગનું દુઃખ ટાળવાને જેમ વારંવાર ઉપયેગામાં લેવાય છે અને તેના ઉપયોગથી એટલે તેનું સેવન કરવાથી દિવસે દિવસે વ્યાધિ અધિકાધિક ઉપશાંત થતો જોવામાં આવે છે, તેમ રાગદ્વેષાદિક અંતરંગ વ્યાધિની વેદના દૂર કરી શકે એવાં પરમાર્થ વાળાં પદને વારંવાર અભ્યાસ કરે હિતકારી જ છે. એવાં પારમાથક વચનનું અનેક વાર આલંબન લેવું એકાંત હિત કરનારજ થઈ પડે છે. ૧૩ વળી બીજું ઉદાહરણ આપે છે–
यउपयुक्तपूर्वमपिनैपज सेव्यते ऽर्त्तिनाशाय ।
तघ्द्रागार्तिहरं बहुशो ऽप्यनुयोज्यमर्थपदम् ।। १४ ॥ ભાવાર્થ—જેમ વ્યાધિના નાશને માટે પ્રથમ વાપરેલું ઔષધ બીજી વાર પવું વપરાય છે, તેમ રાગરોગને હરનાર અર્થપદ પણ વારંવાર ઉપયોગમાં લઈ શકાય. ૧૪
વિવેચન-વીંછી, સાપ પ્રમુખ ઝેરી જંતુઓના ઝેરને દૂર કરી શકે એવા મંત્રવાદીઓ ઝેરની વેદના દૂર કરવાને ઈચ્છતા છતાં જેમ તેનાતે મંત્રપદોને વારંવાર બેલે છે અને એમ કરતાં ક્ષણે ક્ષણે વેદનાને ક્ષય થતો અનુભવાય છે તેમ રાગ દ્વેષાદિક અતિ ઉગ્ર અંતરંગ વિષને વાત કરી શકે એવા પરમાર્થવાળા પદનું વારંવાર રટન કરતાં લગારે પુનરૂકત દેષ લાગતું નથી. ૧૪. ઉક્ત વાતને વધારે દૃઢ કરવા માટે શાસ્ત્રકાર વળી ત્રીજું દષ્ટાંત આપે છે.
वृत्त्यर्थ कर्म यथा तदेव लोकः पुनः पुनः कुरुते । एवं विरागवार्ताहेतुरपि पुनः पुनश्चिन्त्यः ॥ १५॥
For Private And Personal Use Only