________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવધ .
૨૦૧
તેની કુશળતાના ો પ્રશ્ન? શું કદાપિ સૂર્યથકી ક્રીડાકમળ સ`કોચતાને પામે ? ન પામે; વિકસ્વરજ થાય. હું પૃથ્વીપતિ! ચંદ્રથકી 'તઃપુરના ક્રીડાચકારની જેમ આપને આધીન રહેલા તે અમારા રાજા પેાતાની કાંઈપણ ન્યૂનતા માનતા નથી. પૃથ્વી રૂપી ના કાનના કુ’ડળ સમાન અને મર્ચલાકના અગ્રેસર હું રાજા ! તે અમારા રાજનુ જે કાર્ય છે તે આપ સાંભળે,-~~′′ રત્નસેન રાજાને રત્નમજરી નામે રાણી છે, તે રાજાના પુણ્યરૂપ વૃક્ષની જાણે મ’જરી હાય તેવી શેાલે છે. તે રાણીની કુક્ષી રૂપી કમળમાં હુંસી જેવી અને તે રાજાના નેત્રને ઉત્સવ કરનારી કળાવતી નામે પુત્રી છે. સ’સારથી આર’ભીને પણ પૂર્વે નહીં જેયેલું એવું શીલને અનુરૂપ લાવણ્ય તે કલાવતીમાં જાણે તેના દન માટે ઉત્ત્પતિ થઇને આવ્યુ હોય તેમ આ વીને રહ્યુ' છે. પેાતાથી પણ અધિક તેણીની બુદ્ધિ જોઇને જાણે લજજા પામી હાય તેમ કળાની શ્રેણી તેણીના હૃદયમાં ગુપ્ત રીતે આવીને રહી છે. જિનપ્રણીત ગ્ર ચાનું શ્રવણ કરવાથી, જિનાજ્ઞાનુ વહન કરવાથી અને જિનભકિતને ધારણ કરવાથી અ લંકૃત થયેલા તેણીના કણું, મસ્તક અને હૃદયવડે તે અત્યંત શાલે છે; બાકી બીજા આભૂષણ તા તેણીને ગાળુપણુંજ શેલાવે છે. રત્નસેન રાજા તે કન્યાવર્ડ જેવા લે છે તેવા તેના પુત્રાવરું પણ શાભતા નથી. જીએ! “હિમાચલ પ ́ત ગ’ગાનદીએ કરીતે જેવા શેલે છે. તેવા કાંઇ હિમવડે શેાભતા નથી. ” સભા, દાન અને દેવાલયની ભૂમિને વિષે રાજાની સાથેજ તેની છાયાની જેમ તેણી નિર'તર રહે છે, એકદા પોતાના ઉત્સંગમાં બેઠેલી તે કન્યાને જેતે રાજા ઘણા રાજાઓએ વિભૂષિત કરેલી સભાભૂમિને ોભાવતા હતા. તે વખતે તેણે ઘણી પૃથ્વીમાં ફેરેલા તેને પૂછ્યું' કે“ આ પૃથ્વીપર રૂપ, કળા અને શીળે કરીને આ કન્યા સમાન કોઇ વર છે.” ” આ પ્રશ્નને તે કાંઇક જવાબ આપે તેવામાં તે આનંદથી શે।ભતી તે કુવરી બેલી કે ‘હું વિવાહ કરવાને ઇચ્છતી નથી,' તે સાંભળીને વિલક્ષ થયેલા રાજાએ તેણીને કહ્યું કે હે પુત્રી ! તારી બુદ્ધિ પાણિગ્રહણથી વિમુખ કેમ થઇ ? કદાચ કોઇ દાસ દાસી વિના તારા હૃદયમાં પ્રીતિ ન થતી હોય, તે તે માણુસ શરીરની છાયાની જેમ તારા શ્વસુરગૃહને વિષે પણ તારી સાથેજ આવશે. ો કદાચ સરોવરના વિચેગથી પદ્મિનીની જેમ મારા વિયેાગથી મ્લાન થતી હૈા, તેા રાજ ુ'સની જેવા તારા પતિને હુ' અહીંજ લાવીને રાખીશ, અથવા ખીન્ને કોઈ પણ તારા દુર્લભ મના રય હશે તે તે પણ પણું કરીશ, પર’તુ હું પુત્રી! મારી ઇચ્છાથી તુ' વિવાહના દ્વેષને મુકી દે. ’’ આ પ્રમાણે ઘણા આગ્રહવાળી રાજાની વાણીથી પણ તે કન્યાએ વિવાહની વાર્તા માન્ય કરી નહિં, ત્યાર પછી એકાંતમાં રાજાની પ્રિયાએ કળાવતી પાસે
_*
For Private And Personal Use Only