Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 21
________________ ૧ ૯ પ્રસ્તાવના (૬) સંસ્કૃત આલંકારિકોની પરંપરા કારિકાકાર અને વૃત્તિકાર એમ બે વચ્ચે આવો કોઈ ભેદ માનતી નથી. (1) જયંતભટ્ટ, ધ્વન્યાલોકને એક જ લેખક-આનંદવર્ધનની રચના ગણે છે. (ii) અભિનવગુપ્તના લગભગ સમકાલીન મહિમભટ્ટ (વ્યક્તિવિવેકના લેખક), કારિકાના લેખક અને વૃત્તિના લેખક વચ્ચે ભેદ ન માનતાં બન્નેને એકજ માનીને, ધ્વનિ સિદ્ધાન્તનું ખંડન કરે છે. મહિમભટ્ટ કાશ્મીરના હતા તથા અભિનવગુપ્તના પ્રૌઢ સમકાલીન હતા. તેથી તેમની સંમતિ ઉપેક્ષણીય નથી. (ii) ક્ષેમેન્દ્રની “ઔચિત્યવિચાર ચર્ચામાં ૧૮મી કારિકાની ચર્ચા દરમ્યાન ઉદ્યુત કરાયેલી ધ્વન્યાલોની ૩/૨૪ કારિકાના લેખક આનંદવર્ધન છે એમ કહેવામાં આવ્યું છે. (iv) વિશ્વનાથ ‘સાહિત્યદર્પણ'માં ધ્વન્યાલોક ૧/૧ તથા ૨/૧૨ કારિકાઓઉદ્ભૂત કરે છે. તે ધ્વનિકારની છે એમ તે જણાવે છે અને વૃત્તિના લેખક ધ્વનિકાર છે એમ કહે છે. (૭) સદ્ભય કોઈ વ્યક્તિનું નામ નહીં પણ બધા કાવ્યરસિકો માટે વપરાતો શબ્દ છે. આ પરિસ્થિતિમાં નિર્ણય લેવો એ અંગત મમતા અને માન્યતા જ ગણાય. કૃષ્ણચેતન્ય યોગ્ય જ કહે છે, “છૂટા છવાયા વિચારો અને સકતો પરથી તેમણે જ સંપૂર્ણ સિદ્ધાન્ત બાંધ્યો હોવાથી તથા કારિકાના લેખક કે જેમને આપણે ધ્વનિકાર તરીકે જ ઉલ્લેખી શકીએ છીએ-તે પડછાયા જેવી આકૃતિ (સંદિગ્ધ વ્યક્તિ) . હોવાથી, અમે પણ આનંદવર્ધનને જ બધા વ્યાવહારિક હેતુઓ માટે (આ સિદ્ધાન્તના) સ્થાપક જ ગણીશું.' ડૉ. તપસ્વી નાન્દી કારિકા અને વૃત્તિના ગ્રંથ કર્તુત્વ અંગે જણાવે છે, “ડૉ. કુપુસ્વામી શાસ્ત્રી અને ડૉ. કૃષ્ણમૂર્તિના મતને સ્વીકારી, આનંદવર્ધનને જ કારિકા અને વૃત્તિ બન્નેના રચયિતા તરીકે હું સ્વીકારું છું.' ' સમગ્રતયા વિચારતાં લાગે છે કે કારિકા અને વૃત્તિ બન્નેના લેખક એક અને તે પણ આનંદવર્ધન છે. પણ માનો કે કોઈ અજાણ્યા લેખકની ધ્વનિકારિકાઓ આનંદવર્ધનને પ્રાપ્ત થઈ હોય, જેનો આધાર લઈને તેણે વૃત્તિભાગ લખ્યો હોય, તો પણ તેની મહત્તા, પ્રતિષ્ઠા અને સિદ્ધિને સહેજ પંણ આંચ આવતી નથી. કારિકાને આધારે આનંદવર્ધને એક પૂર્ણ, વ્યવસ્થિત, સમન્વયમૂલક અને નિર્ણાયક કાવ્ય 9. “Since it was he who built up a complete theory from scattered ideas and cues, and since the author of Kārikā is a shadowy figure whom we can refer to only as Dhvanikara (formulator of the concept of Dhvani), we too shall regard Anandavardhana as its founder for all practical purposes.” Krishna chaitanya-Sanskrit Poetics-A Critical and comparative Study” p.118. ૨. ડૉ. તપસ્વી નાન્ડી-ધ્વન્યાલોક-લોચન. ગુ યુનિ. પ્રકાશન (૧૯૭૩) પૃ. ૧૦,

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 ... 428