Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 12
________________ સ–લાઈટ. ૨વાને તત્પર બનાવે એ સ્વાભાવિક છે. સાધારણ દ્રવ્ય સાતે ક્ષે2માં ઉપયેગી થઈ શકે એમ કહી નાંખવું બહુ સહજ છે, પરંતુ તે કેવા સંગમાં અને કેની દ્વારા વાપરી શકાય એ વાત તે પ્રાયઃ અંધકારમાંજ અત્યારસુધી રહી ગઈ છે. “ઘव्यय साधारण एवं क्रियते तस्याशेषधर्मकार्य उपयोगागमनात्" ધર્મસંગ્રહ તથા શ્રાદ્ધવિધિકારનાં એવાં સંબંધ વગરના 'વા ઉપર સામા પક્ષ તરફથી મહેટે ભાર મૂકવામાં આવે છે. પરંતુ કઈ પણ શાસ્ત્રીયવાક્યને પ્રમાણુરૂપે ઉલ્લેખ કરતી વખતે તેની આસપાસને સંબંધ પ્રથમજ સમજાવી દેવા જોઈએ. તથાપિ સામા પક્ષ તરફથી તેમ થયું નથી, સાધારણદ્રવ્યનું સ્વરૂપ વિચારતી વખતે આપણે ઉક્ત સંસ્કૃતવાક્યને સંબંધયુક્ત અર્થ તપાસી લઈશું. અમે એકવાર આગળ કહો ગયા છીએ છતાં અમારા આશયને કે શબ્દો દુરૂપયોગ ન થાય એટલા માટે પ્રસંગોપાત પુનઃ આ સ્થળે એટલું કહી દઈએ છીએ કેદુષ્કાળપીડિતે મનુષ્યોને તે શું પણું એક મુદ્રામ જીવજંતુને જે દ્રવ્ય વડે શાતા ઉપજતી હોય તેવા દ્રવ્યની વૃદ્ધિને નિષેધ કેઈ સુઝડદય તે ન જ કરી શકે. સાધારણ દ્રવ્યની વૃદ્ધિ અમને ઈષ્ટ છે પરંતુ એટલાજ કારણસર સાધારણદ્રવ્યની વૃદ્ધિ સૂચવનારા શાસ્ત્રવિરૂદ્ધ તમામ સાધને અમારે મુંગે મહેડે સ્વીકારી લેવા એવું કંઈ બંધન નથી. ખાસ કરીને દેવદ્રવ્યને ક૫ના માત્રથી સાધારણુદ્રવ્યમાં ફેરવી નાંખવાના સાધન સામે અમારા મજબુત વધે છે. અમુક સાધ્ય ઈષ્ટ હોય એટલા માટે તે સાધ્યને સાધનારૂં ગમે તેવું સાધન પણ ઇષ્ટરૂપે સ્વીકારી લેવું એ આગ્રહ સદાગ્રહ ન જ ગણાય. લડાઈમાં “વિજયપ્રાપિ” એ સર્વ સૈનિકેનું લક્ષ્યબિંદુ-સાધ્ય હોય છે, પરંતુ એ સાધ્યને સાધવા માટે કપટ કે પ્રપંચની છાયાવાળા–પરિણામે હાનિ ઉપજાવનારાં સાધને ધર્મયુદ્ધ કરનારાઓ કદિ પણ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92