________________
બધા અધર્મ કાર્યોનો આરંભ મૈથુનને લીધે જ થાય છે. દુર્ગતિરૂપી ભૂમિકા પર બંધાયેલાં મોટા ઘરને ટકાવી રાખવા માટે મૈથુન એક સ્તંભ સમાના
પ્રમાદને દૂર કરવા માટે સમકિતમાં અનુરાગ રાખવો, ઇન્દ્રિયોના વિષયોમાં વિરાગ કેળવવો, સતપસ્વીજનો પ્રત્યે ભક્તિભાવ દર્શાવવો, અને પાપ કૃત્યોથી નિવૃત્તિ મેળવવી, પ્રતિદિન સદ્ગણોનો અભ્યાસ વધારવો, હંમેશા મૃત્યુનો અવિશ્વાસ રાખવો, સંસારમાં થતાં ભાવોનો વિચાર કર્યા કરવો તેમજ સૂત્ર અને અર્થનું શ્રવણ કરવું. આ સર્વ એકાગ્રચિત્તે કરવાથી સંસારના પ્રપંચો વારંવાર સતાવી ન શકે.
સમ્યગ જ્ઞાન
શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ ક્રમાવે છે કે
પીયુષમસમદ્રોહ્યું રસાયન મનોવચમ્ |
અનન્યો પેક્ષ મેશ્વર્ય જ્ઞાનમાહુર્મનીષિણીમ્ II ભાવાર્થ :- સમુદ્રથી નહિ ઉત્પન્ન થયેલું એવું છતાં જ્ઞાન એ અમૃત છે. ઔષધોના પ્રયોગથી નહિ બનેલું છતાં જ્ઞાન એ રસાયણ છે. અને અન્યની અપેક્ષાવાળું નહિ છતાં જ્ઞાન એ એશ્વર્યા છે. એમ બુદ્ધિશાળીઓ માને છે.
મજ્જત યજ્ઞઃ કિલાજ્ઞાને વિષ્ટાયામિવ શૂકર: |
જ્ઞાની નિમજ્જતિ જ્ઞાને મરાલ ઇવ માનસે || ૧ || ભાવાર્થ :- ભૂંડ જેમ વિષ્ટામાં ડૂબે છે. તેમ અજ્ઞાની પણ અજ્ઞાન રૂપી વિષ્ટામાં ડૂબે છે. અને હંસ જેમ માનસ સરોવરમાં ઝીલે છે તેમ જ્ઞાની જ્ઞાનરૂપ માનસ સરોવરમાં ઝીલે છે.
જ્ઞાન દાના દ્વાઝોતિ કેવલજ્ઞાન મુજ્જવલમ્ |
અનું ગૃહ્યા ખિલં લોકં લોકાગ્રમધિ ગચ્છતિ || ૧ || ભાવાર્થ :- જ્ઞાન દાનથી આત્મા ઉજ્જવલ કેવલજ્ઞાનને પામે છે અને અખિલ લોક ઉપર અનુગ્રહ કરીને મોક્ષપદને મેળવે છે.
દાનં દહતિ દૌર્બલ્ય શીલમ્ સૃજતિ સમ્મદમ્ |
તપસ્તનોતિ તેજાંસિ ભાવો ભવતિ ભતયે || ભાવાર્થ :- દાન દુર્ગતિને બાળે છે અર્થાત સગતિને આપે છે શીલ સંપદાઓનું સર્જન કરે છે. તપ તેજસ્વિતાનો વિસ્તાર કરે છે અને ભાવથી કલ્યાણ થાય છે. હેય ભાવના....
કાન્તર્ષિ કાબિષી ચેવ ભાવના ચાભિયોગિકી | દાનવી ચાપિ સમ્મોહિ ત્યાજ્યા પંચતયી ચ સા ||. કાદર્પ પ્રમુખા: પંચ ભાવના રાગ રંજિતાઃ |
યેષાં હદિ પદં ચક્રઃ તલ તેષાં વસ્તુ નિશ્ચયઃ ||. ભાવાર્થ :- કાન્દર્પો-કિલ્શિષી-આભિયોગિકી-દાનવી અને સન્મોહી આ પાંચ પ્રકારની
Page 24 of 211