Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 159
________________ (૨) પાપ વ્યાપારના ભારથી આત્માને સંયમિત કરવો, બચાવી લેવો તે; (૩) સમ્યમ્ મંત્રો અર્થાત્ અહિંસાદિ છે જેમાં તે; (૪) મન-વચન, કાયશુદ્ધિથી સર્વ હિંસાથી વિરામ; (૫) પંચ આશ્રવથી વિરમણ; (૬) ઇન્દ્રિય- કષાયનો નિગ્રહ; (૭) સમ્યગું અનુષ્ઠાન; ચારિત્રસામાયિક, દયા, લા... સંયમ ૪ પ્રકારે પણ કહ્યું છે, મન:સંયમ, વાસંયમ, કાયસંયમ, અને ઉપકરણસંયમ અર્થાત મહામૂલ્યવાળા વસ્ત્રપાત્રાદિનો ત્યાગ. સંયમ 9 પ્રકારે આ રીતે -૧ થી ૬ ષકાયસંયમ, અને ૭મું અજીવસંયમ. જીવસંયમમાં જીવને સંઘટ્ટનાદિ કોઇ ન કરવું; અજીવસંયમમાં પુસ્તકાદિનાં ગ્રહણ-પરિભોગથી વિરામ પામવો. સંયમ ૧૦ પ્રકારે:-૧-૫. પાંચ સ્થાવરકાયસંયમ, ૬-૯, બેઇદ્રિયાદિથી પંચેદ્રિય સુધીનાનો સંયમ ૧૦મું અજીવસંયમ. સંયમ ૧૭ પ્રકારે આ રીતે - ઉપરોક્ત ૯ જીવસંયમ, ૧૦મું અજીવસંયમ. ૧૧-૧૨-૧૩મું મન-વચન-કાયસંયમ, ૧૪થી ૧૭મું પ્રેક્ષા-ઉપેક્ષા-પ્રમાર્જના-પરિષ્ઠાપનાસંયમ. જીવસંયમમાં મન-વચન-કાયાથી જીવોનો સંઘટ્ટો વગેરે વિરાધના કરવા-કરાવવા-અનુમોદવાનો ત્યાગ. આમાં કાયાથી કરવું સમજાય એવું છે. કાયાથી કરાવવું એ રીતે બને કે આપણા હાથે બીજાને ધક્કો લાગવાથી એનાથી કોઇ જીવને સંઘટ્ટો વગેરે વિરાધના થઇ . કાયાથી અનુમોદન એ રીતે કે બીજાએ કરેલ જીવવિરાધનમાં આપણા મુખ પર હર્ષની રેખા કે આંખમાં પ્રશંસા-ચમત્કારનો ચમકારો થઇ આવે. વચનથી જીવવિરાધના કરવારૂપે એ, કે બીજાને સીધું સંઘટ્ટો આદિ કરવા કહેવું તે; અનુમોદના એ કે બીજાએ કરેલ જીવવિરાધના પર એને “ઠીક કર્યું' એમ શાબાસી આપવી, એની પ્રશંસા કરવી “સારો કારીગર ?' વગેરે. મનથી જીવવિરાધના કરવાનું એ રીતે બને કે “હું આ રીતે સંઘટ્ટો આદિ કરૂં' એવો વિચાર આવે; મનથી કરાવવાનું છે, કે “બીજા પાસે આ સંઘટ્ટો આદિ કરાવું' એવો આશય થાય. મનથી અનુમોદવાનું એ, કે બીજાએ કરેલ જીવવિરાધના પર મનમાં ખુશી થાય, એને માનસિક શાબાશી આપે. “આણે આ ઠીક ઠીક કર્યું; આ સારો હોશિયાર..' વગેરે વિચાર આવે તે. સંયમના, અહિંસા-દયાના ખપીએ આ બરાબર ખ્યાલમાં રાખી ચોક્સાઇપૂર્વક બચવાનું છે. જીવની વિરાધનાવાળા રસોઇ વગેરે કાર્યની પણ અનુમોદના ય ન થઇ જાય. દા.ત.“આ ચીજ સારી બનાવી છે.' વગેરે વિચાર પણ ન આવે એ ધ્યાન રાખવાનું છે. અજીવ-સંયમમાં જે પુસ્તક, વ્રણ, ચર્મ અને વસ્ત્ર રાખવા-વાપરવાથી અસંયમ થાય, જીવવિરાધના થાય તેનો ત્યાગ કરવાનું આવે. જીવન ટૂંકું છે, સગવડ ઓછી હોય તે નભાવી લેવી સારી, પરંતુ અસંયમમાં નહિ પડવું; કેમકે અસંયમથી મળેલો મહાદુર્લભ ઉત્તમ આરાધનાકાળા વેડફાઇ જાય છે. મન-વચન-સંયમ એટલે અશુભ વિચાર-વાણી રોકી શુભ વિચાર વાણી પ્રવર્તાવવા. દા.ત. વિજાતીયને જોઇને વિચાર આવ્યા કરે કે આ યુવાન છે, સુંદર છે, વગેરે, એ અશુભ વિચાર છે. પરંતુ એ જ વખતે કાં તો એવા તત્કાલ શુભ વિચારમાં જોડી દેવાય કે “અરે ! આ એક ચિત્તને Page 159 of 211

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211