Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
View full book text
________________
સમકીતી જીવો હોય છે.
કેટલાક જીવો ક્ષયોપશમ સમકીત પામીને પુરૂષાર્થ કરીને ઉપશમશ્રેણિનું ઉપશમ સમકીત પામે છે એવા પણ ઉપશમ સમકીતી જીવો હોય છે કે જે જીવોને અનંતાનુબંધિ ચાર કષાય મિથ્યાત્વ-મિશ્ર અને સમ્યક્ત્વ મોહનીય એમ સાત પ્રકૃતિઓનો સર્વથા ઉપશમ હોય છે એવા જીવો હોય છે અથવા અનંતાનુબંધિ ચાર કષાયનો ક્ષય કરી મોહનીય કર્મની ચોવીશ પ્રકૃતિઓની સત્તાવાળા ત્રણ દર્શન મોહનીયના સર્વથા ઉપશમવાળા જીવો પણ હોય છે કે જે જીવો આ ઉપશમ સમકીતથી ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરશે.
કેટલાક જીવા ઉપશમ શ્રેણિથી પતન પામી ઉપશમ સમકીત સાથે ચોથા ગુણસ્થાનકે આવેલા હોય છે તેમાં દર્શન સપ્તક એ સાતની ઉપશમના કરેલી હોય એવા હોય છે અને કેટલાક અનંતાનુબંધિ ચાર કષાયનો ક્ષય કરેલા ચોવીશની સત્તાવાળા હોય છે જેમાં દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિઓનો સર્વથા ઉપશમ હોય છ. આ રીતે ઉપશમ સમકીતી જીવો ત્રણ રીતવાળા હોય છે.
(૨) ક્ષયોપશમ સમકીતિ જીવો :- કેટલાક અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો ક્ષયોપશમ સમકીત પામ્યા હોય એવા હોય છે.
કેટલાક જીવો ઉપશમ સમકીત પામી અને ક્ષયોપશમ સમકીત પામેલા હોય એવા હોય છે. કેટલાક જીવો ક્ષયોપશમ સમકીતના કાળમાં અનંતાનુબંધિ ચાર કષાયોનો ક્ષય કરી મોહનીય કર્મની ચોવીશની સત્તા પ્રાપ્ત કરેલા જીવો હોય છે.
કેટલાક જીવો ક્ષયોપશમ સમકીતના કાળમાં અનંતાનુબંધિ ચાર કષાયનો ક્ષય કર્યા પછી વિશુધ્ધિના બળે મિથ્યાત્વ મોહનીયનો ક્ષય કરી ત્રેવીશ મોહનીયની પ્રકૃતિઓની સત્તાવાળા જીવો હોય છે.
કટલાક ક્ષયોપશમ સમકીતના કાળમાં અનંતાનુબંધિ ચાર કષાયો-મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય એ છ પ્રકૃતિઓનો ક્ષય કરીને મોહનીય કર્મની બાવીશ પ્રકૃતિઓની સત્તાવાળા પણ ક્ષયોપશમ સમકીતી જીવો હોય છે. આ રીતે ક્ષયોપશમ સમકીતી જીવો પણ ભિન્ન ભિન્ન વિશુધ્ધિવાળા હોય છે.
આ જ રોતે પાંચમા અને છઠ્ઠા ગુણ સ્થાનકે ઉપશમ સમકીતી જીવો તથા ક્ષયોપશમ સમકીતી જીવો રહેલા હોય છે.
(૩) ક્ષાયિક સમકીતી જીવો :- જે જીવોએ ક્ષયોપશમ સમકીતના કાળમાં દર્શન સપ્તક એટલે અનંતાનુબંધિ ચાર કષાય મિથ્યાત્વ મોહનીય-મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય એ સાત પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય કરી મોહનીય કર્મની એકવીશ પ્રકૃતિઓની સત્તા પ્રાપ્ત કરી હોય છે તે ક્ષાયિક સમકીતી જીવો કહેવાય છે. આ ક્ષાયિક સમકીતી જીવો ચારથી ચૌદ ગુણસ્થાનકમાં હોય છે. છટ્ઠા પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનના ૩૭૫૦૦ ભાંગા વિક્સ્પો ઇરીતે થાય છે તે
પ્રમાદનાં ૩૭૫૦૦ ભાંગા થાય તે આ પ્રમાણે :
=
૫ ઇન્દ્રિય ૧મન = ૬ ઇન્દ્રિય X ૨૫ કષાય X ૨૫ વિકથા X ૫ નિદ્રા × ૨ રાગ અને દ્વેષ ૩૭૫૦૦ ભાંગા થાય.
Page 165 of 211

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211