Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 188
________________ સાથે નાશ પામે છે. કવિએ કલ્પના કરીને કહ્યું છે કે દેશમાં ગુણસ્થાનકમાં સંજ્વલન લોભનાં ટુકડા ટુકડા કરી કરીને નાશ કર્યો છે. તે જોઇને જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને અંતરાય કર્મ આ ત્રણ ભેગા થઇને વિચાર કરે છે કે જો આપણે સાવધ રહીને તૈયાર ન રહીએ તો આપણને પણ આ રીતે ટુકડા ટુકડા કરીને મારશે માટે જો માર ન ખાવો હોય તો આપણા બીસ્મા પોટલા બાંધીને તૈયાર રહો એમ વિચારણા કરીને તૈયાર થઇને બેઠલા હોય છે. જેવો જીવ ગુણસ્થાનકમાં આવે એટલે કહે છે કે ભાઇ અમોને મારતા નહિ અમે જવાતૈયાર છીએ અને અમે જઇએ છીએ. આ ગુણસ્થાનકમાં પ્રતિભજ્ઞાન જીવને પેદા થાય છે. જ્યારે ત્રણ ઘાતી કર્મોનો નાશ થાય. ત્યારે જીવો તેરમા સયોગિ કેવલી ગુણસ્થાનકને પામે છે અને તેના પહેલા સમયે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. દ્વાદશ સોપાન (ક્ષીણમોહ ગુણસ્થાન) શુદ્ધ ચેતન્યરૂપ, અપૂર્વ શક્તિ ધારણ કરનાર અને સર્વ ગુણ સંપન્ન પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરનારા, કર્મોના વિચિત્ર અને વિલક્ષણ સ્વરૂપને સમજનારા, અન આ વિશ્વની અગણિત સૂચનાઓને ઓળખનારા મહાનુભાવ આનંદસૂરિ શાંત સ્વરથી બોલ્યા- “ભદ્ર, આ નિર્મલ તત્ત્વબોધક નીસરણીના બારમા પગથીઆ ઉપર તારી દ્રષ્ટિ પ્રસાર.” આ સંદર સોપાન ક્ષીણમોહ નામના બારમા ગણસ્થાનથી ઓળખાય છે. અહિં સકલ મોહનો ક્ષય થાય છે, તેથી આ સ્થાનનું નામ ક્ષીણમોહ પડેલું છે. ઉપશમક જીવ ઉપશમ મુર્તિરૂપ સહજ સ્વભાવબલથી સર્વ મોહકર્મ ઉપશાંત કરવાથી અગીયારમાં ગુણસ્થાનકથી અને ક્ષપક થઇ ક્ષપકશ્રેણીના માર્ગવડે દશમાં ગુણસ્થાનથીજ નિ:કષાય શુદ્ધ આત્મભાવનું બળ પ્રાપ્ત થાય છે, તેથી અહિં સર્વ મોહનો ક્ષય થાય છે, માટે આ ગુણસ્થાન ક્ષીણમોહના નામથી ઓળખાય છે. વત્સ, જો આ પગથીઆની સાથે એક પ્રકાશમય દોરી દેખાય છે, તેને દશમા પગથીઆની સાથે બાંધેલી છે, આ સુચના જાણવા જેવી છે. આ ઉપરથી એવું સુચન થાય છે કે, ક્ષેપકમુનિને અગીયારમું ગુણસ્થાન પ્રાપ્ત થતું નથી પરંતુ દશમાં સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનથી લોભના સૂક્ષ્મ અંશોના સૂક્ષ્મ ખંડ કરતાં કરતાં તે ક્ષપક આ બારમાં ક્ષીણમોહ ગુણસ્થાનમાં આવે છે. આ વખતે તે જીવ અહિં ક્ષપકશ્રેણી સમાપ્ત કરે છે. તે સમાપ્ત કરવાનો અનુક્રમ આ પ્રમાણે છે. પ્રથમ તે અનંતાનુબંધી ચાર કષાયનો ક્ષય કરે છે. પછી મિથ્યાત્વમોહનીય, પછી મિશ્રમોહનીય, અને પછી સમ્યકત્વ મોહનીયનો ક્ષય કરે છે. તે પછી અપ્રત્યાખ્યાન ચાર કષાય, પછી પ્રત્યાખ્યાન ચાર કષાયનો, પછી નપુંસક વેદનો, અને પછી હાસ્ય ષકનો ક્ષય કરે છે. તે પછી પુરૂષ વેદનો, પછી સંજ્વલન ક્રોધનો, પછી સંજ્વલન માનનો, સંજ્વલન માયાનો, અને છેવટે સંજ્વલન લોભનો ક્ષય કરે છે. આ અનુક્રમે શુદ્ધ થયેલો જીવ આ બારમા સોપાન ઉપર રહે છે. મુમુક્ષુએ પ્રશ્ન કર્યો - “ભગવદ્, આપના કહેવા ઉપરથી આ ક્ષીણ મોહ ગુણસ્થાનનો પ્રભાવ મહાનું દેખાય છે, તો અહિં કોઇ જાતનું ધ્યાન થતું હશે કે નહીં” આનંદર્ષિ બોલ્યા- “ભદ્ર, આ બારમા ક્ષીણ મોહ ઉપર આવેલા જીવને શુક્લ ધ્યાનનો બીજો પાયો પ્રાપ્ત થાય છે. ક્ષીણ મોહી ક્ષેપકમુનિ આ બારમા ગુણસ્થાનમાં શુદ્ધ પરિણતિવાલો થાય છે, | Page 188 of 211

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211