Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 158
________________ નથી કર્યું નથી બોલ્યા કે નથી ચિંતવ્યું, એના સંસ્કારવાળી, ખ્યાલવાળી જોઇએ. એ ભ્રાન્તિથી અગર ઉપેક્ષાથી એ ન હોય તો શુભ અધ્યવસાય વિસ્તરતા નથી અને એથી ક્રિયા સમ્યકુકરણ નથી. બનતી. (૬) અન્યમુદ્ :- એટલે જે ક્રિયા ચાલી રહી છે, તેના બદલે અન્ય ક્રિયાદિમાં આનંદ, વધારે રાગ, આતુરતા વગેરે. આ પણ ચિત્તનો દોષ છે, અને તેથી ક્રિયાનો દોષ છે. એથી ફ્લત: પ્રસ્તુત ક્રિયામાં આદરની ખામી પડે છે અનાદર સિદ્ધ થાય છે. ક્રિયા પ્રત્યે લેશ પણ અનાદર એ તો દુ:ખદ સંસારનું કારણ બને છે. અનાદરને તો અંગારવૃષ્ટિ સમાન કહ્યો છે. એથી ક્રિયામાં અતિ જરૂરી પ્રમોદભાવ હર્ષોલ્લાસ બળી જાય છે, અને તેનું મોટું નુક્શાન છે. દા.ત. કોઇને સ્વાધ્યાય ઉપર બહુ રાગ છે. તેથી ચૈત્યવન્દનાદિનો સમય થયો હોવા છતાં એ કરવામાં અવગણના કરે, ઢીલ કરે, અથવા કરવા બેસે તો ચિત્તમાં ચૈત્યવન્દનાદિનો હર્ષ-આદર ન રાખતાં સ્વાધ્યાયનો હર્ષ, સ્વાધ્યાયની મજા, આતુરતા રાખે, તો અહીં અન્યમુદ્ દોષ લાગે. આ ખોટું છે. એથી ળનો ઘાત થાય છે. શાસ્ત્ર કહેલા વિવિધ અનુષ્ઠાનોમાં એવું નથી કે એકના ઉપર આદર રાખવો અને બીજા પર ન રાખવો. એકમાં આસક્ત થવું ને બીજામાં ન થવું. બીજું અનુષ્ઠાન ભલે સુંદર હોય પરંતુ એકના-રાગ આદરના ભોગે બીજાના ઊપર આદરભાવ રાખવો એ શુભભાવ નથી. હૃદયમાં જો તે તે દરેક ક્રિયા પ્રત્યે અને ઉપદેશક શ્રી અરિહંત પરમાત્મા પ્રત્યે પૂર્ણ ભક્તિ જાગ્રત હોય તો આ દોષથી બચી શકાય, અને સમ્યકરણ દ્વારા શુભ અધ્યવસાયનું ફળ પામી શકાય. (૭) રોગ :- એટલે ચિત્તની પીડા અથવા ચિત્તભંગ એ પણ ક્રિયાનો દોષ છે. એનાથી ક્રિયા શદ્ધપણે સળંગ ધારાબદ્ધ વહેતી નથી. પ્રબળ કર્મોદયથી ચિત્ત પીડા હોય તો જુદી વાત; બાકી તો સાધકે શક્તિ ફોરવીને એ ચિત્તની પીડા ટાળવી જોઇએ. ચિત્તભંગ ન થવા દેવો જોઇએ. ભક્તિના આવેગથી ચિત્તોત્સાહ, ચિત્તની પ્રફુલ્લિતા જાળવી શકાય છે. અને આ દોષ ટાળી શકાય છે. તેથી સમ્યકકરણ બને છે. જેના પરિણામે સુંદર શુભ અધ્યવસય પ્રાપ્ત થાય છે. (૮) આસંગ :- એટલે આસક્તિ અ આસક્તિથી એમ લાગ્યા કરે કે “આજ ક્રિયા સુંદર છે, ને' તેથી એમાં જ વારંવાર પ્રવર્તવાનું મન થાય. અલબત અમુક અવસ્થા સુધી ધર્મક્રિયા પર અથાગ રાગ જોઇએ જ, તો જ પાપ પ્રવૃત્તિના રાગ છૂટી શકે, છતાં ઉપરની અવસ્થામાં એ રાગ અર્થાત આસંગ દોષરૂપ છે. કેમકે એ વીતરાગ બનવા દેતો નથી. બહુ તો નિયત ગુણસ્થાનમાં અટકાવી રાખે છે. અરિહંત પ્રભુ અને સર્વ ક્રિયાઓ પ્રત્યેની પ્રીતિ-ભક્તિ, આ દોષનું પણ ક્રમશ:નિવારણ કરી શકે છે. આ સંગ દોષ ખરેખર ત્યારે ટળે કે જ્યારે અસંગ અનુષ્ઠાન સિદ્ધ થાય. અલબત્ત તે પૂર્વે ક્રિયાનો એવી આસક્તિ ન જોઇએ કે જેથી એમાં જ લીન થઇ બીજા યોગને બાધ પહોંચાડવાનું થાય. સંયમ અને સંયમઝુશળ સાધુજીવન એ સંયમજીવન કહેવાય છે. “સંયમ’ શબ્દના શાસ્ત્રમાં આ અર્થે આવે છે :સંયમ એટલે - (૧) સંયમન કરવું તે, અર્થાત્ સાવધ (પાપ) વ્યાપારોથી વિરમવું તે; Page 158 of 211

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211