Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 129
________________ ભલે બીચારો રળે. આપણે કાંઇ આટલામાં તૂટી જવાના નથી અથવા બીચારો !ઠગાઇમાં કમાયો શું બહુ ? અને પાપ કેટલું બધું બંધાયું ! મનમાં આવી દયા ઉઠે. એમ સ્વાર્થ માટે પણ હલકા ઉપાયની સુગ ચઢે.નિંદા, વિકથા, ચુગલી, હલકટવાંચન અધમના સંસર્ગ વગેરે ટાળવા પડે. કેમકે એ ક્ષુદ્રતા લાવનારા છે. એ ટાળી ઉત્તમ સત્સંગ સર્વાંચન, ગુણ કથા. ઉત્તમ ઉપાયો વગેરેના સેવનથી દિલમાં ઉદાર વૃત્તિ ઘડાય છે. ઔદાર્ય માટે વળી ઔચિત્યની બહુ જરૂર છે. વડિલ જનો અને દીન, હીન, દુખીયારા પ્રત્યે ઉચિત વર્તાવ. વડીલ જનોમાં ઉપકારી પણ હોય તેમના પ્રત્યે કૃતજ્ઞતાના પાલન રૂપે ઉચિત સેવા જરૂર જોઇએ. કૃતજ્ઞ માણસમાં ધર્મનો પાયો જ નથી જાગતો. ક્યાં વાત ? ઉપકારી સિવાય પણ બીજા વડિલો પ્રત્યે બોલચાલનો ઉચિત વ્યવહાર જોઇએ. ઉપરાંત દીન-અનાથ-નિરાધાર-તેમજ દુખગ્રસ્ત પ્રત્યે પણ અવસરોચિત શક્ય ઉપાયે ઉચિત પ્રવૃત્તિો જાળવવી જરૂરી છે. આ બધું સાચવવામાં દિલમાં ઉદાર પરિણામ, ઉદાર વૃત્તિ, ઔદાર્ય કેળવાય છે. (ર) દાક્ષિણ્ય માટે - બીજાનું કાર્ય કરવા તરફ ઉત્સાહ-સેવાનો ઉત્સાહ બન્યો રાખવો જોઇએ. એ રખાય તોજ અવસર મળે ઝટ બીજાનું કાર્ય કરવામાં પાછી પાની નહિ થાય. અને સામા પ્રત્યે દાક્ષિણ્ય વ્યક્ત થશે, બેશરમ માણસ તો તેવા અવસરે આંખ મીંચામણા કરવાનો. “આપણે તે કેટલે પહોંચીએ ?' અને શું નવરા બેઠા છીએ તે બધાનું કરતા ક્રીએ ? આવા હલકા ધોરણમાં અટવાવાનો. વિચારવું તો એ જોઇએ કે સ્વાર્થરક્ત તો કોણ નથી હોતું ? કૂતરા-બિલાડાય જાતનું તો સંભાળવામાં શૂરા હોય છે. માનવભવ એટલે ઊંચા સ્તર પર બેઠક. ત્યાં પોતાનો સ્વાર્થ ગૌણ કરી બીજાની સેવા કરવાની ધગશ હોવી જોઇએ, જગતમાં સેવા કરનારા મહાન પુરૂષો બની ગયા. વળી આપણને આપણાં પ્રત્યે બીજા કેવું વર્તે તો ગમે ? માટે જ સેવામાં ઉત્સાહી રહેવું જોઇએ. પહેલાં મન મારીને પણ એ કરતાં કરતાં પછી તો એનો રસ જાગશે. પરનાં કાર્ય કરવામાં વિશિષ્ટ આનંદ આવે છે. દાક્ષિણ્ય માટે બીજું જરૂરી એ છે કે ગંભીર, ધીર અને સ્થિર બનવું. ગંભીરતા એટલે બીજાના ગુણદોષ પચાવી જાણવા. ગુણ પચાવવા એટલે એની કદર કરવી, દોષ પચાવવા એટલે એને સહી લેવા. પણ ઉકળી ન ઉઠવું બહાર બા નહિ. એ જો ન હોય તો બીજાનું કાર્ય કરવાનો અવસર આવ્યું દાક્ષિણ્યથી પણ એ કરવાનું એના દોષથી ઉકળી ઉઠેલું મન ના પાડશે. અન્યોન્ય વસ્તુ છે; કોઇનું દાક્ષિણ્ય શરમ જાળવે તો એની રહસ્યમય બાબત અંગે ગાંભીર્ય જાળવી શકે. અને ગંભીર રહેવાની ટેવ પાડી હોય તો બીજાની ગુપ્તવાત બહાર ન પ્રકાશે, એનું દાક્ષિણ્ય જાળવી શકે. ગંભીર માણસ વસ્તુનો કે પ્રસંગનો ઉંડાણથી વિચાર કરનારો પણ બનશે. અને એ જરૂરી પણ છે. ઉપલકિયો વિચાર અનર્થ કરે એવો સંભવ છે. ધીરતા એટલે આપત્તિ-પ્રતિકૂળતા-અગવડ કે અણગમાનું આવે ત્યાં ખળભળી ન ઉઠવું પરંતુ એને શાંતિથી સહન કરી લેવું તે. આકુળ વ્યાકુળ થવું એ તો અધિરાઇ-અવૈર્ય છે. શા માટે તેમ કરવું ? કેમકે વસ્તુ બનવાની બને જ છે; યા બનવાનું બની ગયું છે. હવે તો શાંતિ રાખી એને વેઠી લેવું, પસાર કરવું. તો જ ઉપકારીઓ ગુણીયલ કે બીજાઓ તરફથી એવું કાંઇ આપણું પ્રતિકૂળ કે અણગમાનું થતું હોય તો એમના પ્રત્યેનું દાક્ષિણ્યા ઉડી નહિ જાય. એમનું કાર્ય કરવાનો આપણો ઉત્સાહ મરી જશે નહિ. ગાંભીર્ય અને ધૈર્યની જેમ ધ્યેય પણ જરૂરી છે; અર્થાત આપણાં કર્તવ્ય, આપણી પ્રવૃત્તિ, Page 129 of 211

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211