Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 151
________________ કંઠાદિ સ્થાનોના પ્રયત્નપૂર્વક વિસર્જન કરે છે. ભાષાના આ ગ્રહણ, પરિણમન અને વિસર્જનનું યથાતથ્ય સુવિસ્તૃત સ્વરૂપ જેનાગમ ગ્રન્થોમાં પ્રતિપાદન કરેલું છે. પ્રથમ સમયે ભાષાદ્રવ્યનું ગ્રહણ થાય છે અને દ્વિતીય સમયે પરિણમન તથા નિસર્જન થાય છે. નિસર્જન થયેલાં તે ભાષાદ્રવ્યોવડે અન્ય ભાષા દ્રવ્યો વાસિત થાય છે, તેને પરાઘાત કહેવામાં આવે છે. નિસગનુકૂળ કાયસંરંભને વસોયોગ કહેવાય છે. ગ્રહણ કરાતાં ભાષા દ્રવ્યો સ્થિર, દ્રવ્યથી અનંત પ્રદેશી, ક્ષેત્રથી અસંખ્યય પ્રદેશાવગાઢ, કાલથી એક સમય સ્થિતિકથી માંડી અસંખ્યય સમય સ્થિતિક અને ભાવથી પાંચવર્ણ, બે ગંધ, પાંચ રસ, બે ત્રણ યા ચાર સ્પર્શવાલા હોય છે. એકગુણ શીતથી યાવત્ અનંતગુણ શીત સ્પર્શ હોય છે. એ રીતે એકગુણ શ્યામથી યાવત અનંતગુણ શ્યામ હોય છે. એમ ભાવથી સર્વ ગુણોમાં સમજી લેવું. નિસર્જન બે રીતે થાય છે : તીવ્ર પ્રયત્નથી અને મંદ પ્રયત્નથી તીવ્ર પ્રયત્નથી. ભાષાવર્ગણાનાં દ્રવ્યો ભેદાય છે, અને એ ભિન્ન દ્રવ્યો છએ દિશાએ લોકાન્ત સુધી જાય છે. સૂક્ષ્મ અને બહુ હોવાથી, તથા અન્ય દ્રવ્યોને વાસક હોવાથી અનંતગુણ વૃદ્ધિયુક્ત બને છે. મન્દ પ્રયત્નથી ભદાતા નથી અને એ અભિન્ન દ્રવ્યો સંખ્યાતા યોજન જઇને વિલય પામે છે- શબ્દ પરિણામને છોડી દે છે. ભાષાદ્રવ્યોનો ભેદ પાંચ પ્રકારે થાય છે : ખંડભેદ, પ્રતરભેદ, ચૂર્ણિકાભેદ, અનુતટિકાભેદ અને ઉકારિકાભેદ. (૧) ખંડભેદ - સોનું, રૂપું, સીસું ઇત્યાદિની જેમ. (૨) પ્રતરભેદ - વાંસ, વેબ, નલ, અભ્રક, કદલી ઇત્યાદિની જેમ. (૩) ચર્ણિકાભેદ - તલ, મગ, અડદ, મરી ઇત્યાદિની જેમ. (૪) અનુકટિકાભેદ - દ્રહ, નદી, વાવડી, પુષ્કરી, દીર્ધકા, સરોવર ઇત્યાદિની જેમ. (૫) ઉકારિકાભેદ - તલસીંગ, મગસીંગ, એરંડબીજ ઇત્યાદિની જેમ. સર્વ સ્તોક ઉત્કારિકા ભેદ હોય છે, તેથી પશ્ચાનુપુર્વી ક્રમે અનંતગુણ અધિક હોય છે, તાલુ આદિના પ્રયત્નપૂર્વક ઉચ્ચરિત ભાષાદ્રવ્યો ભાષાપ્રાયોગ્ય અન્ય દ્રવ્યોને વાસિતપરાઘાતક કરે છે. વિશ્રેણિમાં રહેતા શ્રોતા વાસિતને જ સાંભળે છે, સમશ્રેણીમાં રહેલ મિશ્રને સાંભળે છે; વાસિત અને મિશ્ર સિવાયનાં કેવળ શુદ્ધ ભાષાદ્રવ્યો શ્રવણ કરાતાં નથી. કહ્યું છે કે, _ 'पुढे सुणेइ सदं , रुवं पुण पासइ अपुढे तु । गंध रसं च फासं बध्धपटुं वियागरे ।। १।।' શબ્દ સ્પર્શ કરાયેલો સંભળાય છે, રૂપ, સ્પર્શ કરાયા વિના દેખાય છે, તથા ગબ્ધ રસ અને સ્પર્શ બદ્ધસ્કૃષ્ટ ગ્રહણ થાય છે. શબ્દના પગલો સૂક્ષ્મ, ભાવુક અને ઘણા હોય છે, તેથી સ્પષ્ટમાત્રથી સંભળાય છે. ગંધ, રસ અને સ્પર્શના પગલો બાદર, અભાવુક અને અલ્પ હોય છે તેથી પૃષ્ટ અને બદ્ધ થયેલા જ ગ્રહણ થાય છે. ધૃષ્ટ એટલે અડેલાં અને બદ્વ એટલે ગાઢ રીતે મળેલાં. શ્રોબેન્દ્રિય અને ચઇન્દ્રિય પટુ છે, બીજી ઇન્દ્રિયો અપટું છે. શ્રોબેન્દ્રિય ઉત્કૃષ્ટ ૧૨ યોજનથી આવેલા શબ્દોને સાંભળે છે, ભાસુરરૂપ ૨૩ લાખ યોજન દૂરથી ગ્રહણ થાય છે, ગંધ, રસ અને સ્પર્શ યાવત્ ૯ યોજન દૂરથી આવેલાં ગ્રહણ કરાય છે. ઉપસંહાર Page 151 of 211

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211