Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 146
________________ સ્થાપનાજિનમાં પણ પ્રવર્તે છે. જિનપ્રતિમામાં “જિન” શબ્દનો પ્રયોગ એ મિથ્યાત્વ છે એમ કેટલાકો કહે છે, તેઓ સ્થાપનાસત્યનું પ્રતિપાદન કરનાર સૂત્રનું ઉન્મલ કરવા દ્વારા અનંતા અરિહન્તોની આશાતના કરનારા તથા અનંત સંસારીપણાને ઉપાર્જન કરનારા થાય છે. શબ્દશક્તિ એકલી વ્યક્તિ કે જાતિમાં જ નહિ પણ વ્યક્તિ જાતિ અને આકૃતિ ત્રણેમાં પ્રવર્તે છે, એમ નૈયાયિકોએ પણ સ્વીકાર્યું છે. અંકવિન્યાસ, અક્ષરવિન્યાસ, મુદ્રાવિન્યાસ ઇત્યાદિ સ્થાપના સત્ય છે. (૪) નામસત્ય - ધનરહિતને “ધનવર્ધન” અને કુલવિહીનને “કુલવર્ધન' ઇત્યાદિ ભાવાર્થવિહીન નામ આપવાં તે નામસત્ય છે. (૫) રૂપસત્ય - લિંગધારી સાધુમાં “સાધુ અને વેષધારી યતિમાં “યતિ' શબ્દનો પ્રયોગ એ રૂપસત્ય છે. નાટકીયા રાજા મંત્રી ઇત્યાદિ પણ રૂપસત્ય છે. (સ્થાપના'ની પ્રવૃત્તિ તજ્જાતીય અને સદોષમાં હોતી નથી અને “રૂપ' ની હોય છે, આટલો સ્થાપના સત્ય અને રૂપસત્યમાં ફ્ર છે.) (૬) પ્રતીત્યસત્ય – અણું મહત્વ સ્વ દીર્ધ ઇત્યાદિ પરસાપેક્ષ પદાર્થોનું પ્રતિપાદન એ પ્રતીત્યસત્ય છે, અણત્વ મહત્વાદિ પરાપેક્ષ ધર્મો સર્વથા અસત્ છે; એમ ન કહેવું. કપૂર ગન્ધસ્વભાવથી જ અને શરાવ ગબ્ધજલસંપર્કથી જ છે તેથી અસંત કે તુચ્છ ગણાય નહિ. અવલંબન વિના જ્ઞાન પણ કાંઇ કરી શકતું નથી. જ્ઞાન ગ્રહણ કરવા માટે પણ વચનની જરૂર પડે છે, અને બીજાને ગ્રહણ કરાવવા માટે પણ વચનની જરૂર પડે છે. એક આત્મામાં (0) વ્યવહારસત્ય - “પીવતો નહી” “હીંતે ગિરિ:” “ભતિ માનનમ્” “ઉભુરા ન્યા' “ઊભોમા ઈડ' નદીનું નીર પીવાય છે, ગિરિનાં તૃણ બળે છે, ભાજન ગત જલ ગળે છે, કન્યાને સંભોગજ-બીજ-પ્રભવ ઉદરનો અભાવ છે, બકરાંને લવન કરવા યોગ્ય-કાપવા યોગ્ય લોમનો અભાવ છે, ઇત્યાદિ પ્રયોગ એ વ્યવહારસ છે. (૮) ભાવસલ્ય - સદભિપ્રાય પૂર્વક બોલાયેલી, પારમાર્થિક ભાવને જણાવનારી અથવા શાસ્ત્રીય વ્યવહારને નિયંત્રિત કરનારી ભાષા એ ભાવસત્ય છે, જેમ કે કુંભને જ કુંભ કહેવો, બલાકાને શ્વેત જ કહેવી, ઇત્યાદિ ભાવસત્ય એટલે પરમાર્થસત્ય છે. (૯) યોગસત્ય - છત્રના યોગથી છત્રી, દંડના યોગથી દંડી, કુંડલના યોગથી કુંડલી, ઇત્યાદિ યોગસત્ય છે. (૧૦) ઉપમાસત્ય - ઉપમા, ઉપમાન, ઉદાહરણ, જ્ઞાત, દ્રષ્ટાંત, નિદર્શન ઇત્યાદિ ઉપમાસત્ય છે. ઉપમા બે પ્રકારની છે: એક ચરિત અને બીજી કલ્પિત. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું નરકગમન ઇત્યાદિ ચરિત છે, સંસારસાગર, ભવઅટવી, મુક્તિકન્યા, ઇત્યાદિ કલ્પિત છે. અનિત્યતા માટે પિપલપત્ર અને જડતા માટે મુગશેલ-પાષાણાદિનાં દ્રષ્ટાંતો પણ કલ્પિત છે. કલ્પિત દ્રષ્ટાંતો પણ ઇષ્ટાર્થના. સાધક છે, તેથી આદરણીય છે. સાધારણ ધર્મથી ઉપમા ન હોય કિન્તુ અસાધારણ ધર્મોથી જ હોય, જેમ કે ચન્દ્રમુખી-એમાં ચંદ્રના આલ્હાદકત્વાદિ અસાધારણ ધર્મથી ઉપમાં છે, કિન્તુ શેયત્વ અભિધેયવાદિ સાધારણ ધર્મોથી નહિ. અસત્ય ભાષાના દશ પ્રકાર (૧) ક્રોધનિઃસૃત -ક્રોધાવિષ્ટની અસત્ય ભાષા-જેમકે ક્રોધાવેશમાં પોતાના પુત્રને જ Page 146 of 211

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211