________________
હોય, તો આ ‘ હાસ્યપ્રત્યાખ્યાન' નામની ભાવનાથી ભાવિત રહેવાની ખૂબ જરૂર છે. માનાદિના લોભથી થતી હાનિ ઃ
૨- ‘લોભપ્રત્યાખ્યાન' નામની બીજી ભાવના પણ બીજા મહાવ્રતના રક્ષણ માટે અતિ આવશ્યક છે. લોભ પરવશ બનેલો આત્મા ઘણી જ સહેલાઇથી અસત્યનો બોલનારો થાય છે. લોભે અનેક સ્વરૂપે જગત ઉપર પોતાના સામ્રાજ્યને વિસ્તાર્યું છે. સાધુઓ પણ જો પોતાના સ્થાનને ભૂલે છે, તો તેઓ પણ વસ્ત્ર, પાત્ર અને પુસ્તક આદિ અનેક વસ્તુઓના લોભને આધીન બની જાય છે. માન-સન્માનના લોભને પણ ભાનભૂલાઓ વશ બને છે. આ જાતિની લોભપરવશતાથી અસત્ય બોલવું, એ તો આજે કેટલાક સાધુ ગણાતાઓનેય સોપારી ખાવા જેટલું પણ મુશ્કેલ નથી લાગતું. પોતાના માનની રક્ષા માટે હાસ્યની વાતના રૂપમાં અનેકોની ખોટી નિંદા આનંદપૂર્વક કરનારા જ્યારે ધર્માચાર્યોં તરીકે પંકાતા પણ જોવાય, ત્યારે તો એ અતિશય ખેદનો જ વિષય ગણાય. તેઓ આ બીજા મહાવ્રતની પહેલી અને બીજી-એ બન્નેય ભાવનાઓને ભૂલ્યા છે, એનો એ રીતિએ સ્પષ્ટ સાક્ષાત્કાર થાય છે. માનના લોભથી, પોતાની પ્રશંસા અને અન્યની ખોટી નિંદા, એ સાધુપણાના લેબાસમાં પણ સ્વાભાવિક જેવી બની જાય છે. લોભની આ ભયંકરતા સમજી, તેના ત્યાગમાં સજ્જ રહેવાની તાલાવેલી, એ આ બીજી ભાવનાનું સ્વરૂપ છે. હાંસીનો અને માનાદિના લોભનો આજે સાધુના વેષમાં રહેલાઓ ઉપર પણ કારમો હલ્લો છે. આ હલ્લાના પ્રતાપે આજે એવા પણ ધર્માચાર્યો તરીકે ઓળખાતા આત્માઓ છે, કે જેઓનો ઘણો સમય હાસ્યજનક વાતોમાં જ જાય છ અને એ સમયે તેઓ પોતાના અનેક પ્રકારના ભયંકર જાતિના લોભોનું જ પ્રાયઃ પોષણ કરતા હોય છે. માન-સન્માન અને પ્રશંસાના લોભિઓ, કયી રીતિએ પોતાનું જે કાંઇ માન-સન્માન હોય તે બન્યું રહે અને કયી રીતિએ પોતાની પ્રશંસા સદાય થયા કરે તેમજ વધ્યા કરે-એવા જ પ્રકારની યોજનાઓનો હાંસીની વાતમાં પણ અમલ કર્યા કરે છે. એવા ધર્માચાર્યે પણ પોતાના બીજા મહાવ્રતને બાજુએ મૂકીને જ બેઠા હોય, એવો સ્પષ્ટ આભાસ થાય છે. એવાઓના સહવાસમાં આવવાથી અનેક ધર્મના અર્થિઓ પણ પોતાના અર્થિપણાને ગુમાવી બેઠાના બનાવો બન્યા છે. ‘હાસ્યપ્રત્યાખ્યાન’ અને ‘લોભપ્રત્યાખ્યાન' -આ બે ભાવનાનો અભાવ, એ જ દશાનું મુખ્ય કારણ છે. જે સાધુઓને આ દુર્દશાથી બચવું હોય, તેઓએ આ બે ભાવનાઓને સતત જીવંત અને જાગૃત રાખવી જોઇએ. હાંસી-મશ્કરીની કુટેવ અને વસ્ત્રાદિનો તથા માનસન્માનાદિનો લોભ, એ બીજા વ્રતને માટે શ્રાપ રૂપ છે, એમ જાણી એ બેના પરિત્યાગ કરવો એ જ આ બે ભાવનાઓનો પરમાર્થ છે. જેઓ સાચા સ્વાધ્યાય આદિથી પરવાર્યા છે, તેઓને આજે હાંસી-મશ્કરી વિના સમય કેમ પસાર કરવો-એની પણ ચિંતા છે અને બાહ્યથી જ માત્ર ત્યાગી હોવાથી બીજી રીતિએ વસ્ર, પાત્ર અને પુસ્તક આદિનો તથા માનસન્માનાદિનો લોભ એ બિચારાઓને ખૂબ સતાવી રહ્યો છે. કલ્યાણકામિઓએ એવી દુર્દશાથી બચવા માટે આ બે ભાવનાઓને ખૂબ મજબૂત બનાવવી જોઇએ. ભય પણ અનેક અનર્થો સરજાવે છે :
૩- ‘ ભયપ્રત્યાખ્યાન' આ નામની ત્રીજી ભાવનાથી પણ બીજા મહાવ્રતને ભાવિત રાખવાની જરૂર છે. નમાલા આત્માઓ ભયથી પણ અસત્ય બોલી નાંખે છે. કેટલીક વાર ભયભીત બનેલા Page 83 of 211