________________
ત્યાજ્ય વસ્તુઓનો ત્યાગ પણ એવી રીતિએ અને એવી જગ્યાએ કરે, કે જેથી બસ-સ્થાવર જીવાની વિરાધનાથી બચી શકાય. સમિતિની બેદરક્ષરીને તજો :
આ પાંચ સમિતિઓ વિના સાચા મુનિપણાના આચારોનું પાલન શક્ય નથી અને રેલવિહાર આદિ કરનારાઓ આનું પરિપાલન કરતા જ નથી, એમાં વિવાદને સ્થાન નથી. એવાઓને જ્યાં મનિપણાની દરકાર નથી, અનન્તજ્ઞાનિઓની આજ્ઞાની દરકાર નથી, ત્યાં ગમે તેમ વર્તે એથી નવાઇ પામવા જેવું કાંઇ જ નથી : પરન્તુ એવાઓને ઉત્તમ પાત્ર તરીકે માની લેનારાઓએ ખાસ ચેતવા જેવું છે : કારણ કે તેઓ ઉત્તમ પાત્રની ભક્તિ કરવાને ઇચ્છે છે, છતાં તેવા નાલાયકોને અજ્ઞાનાદિથી ઉત્તમ પાત્ર માને છે. જેઓ પદ્ગલિક હેતુથી, મત્ર-તત્ર આદિના કારણે જ એવાઓને માને છે અને પૂજે છે, તેઓ દયા ખાવા લાયક જ છે : પણ મોક્ષના અર્થિઓએ તો એવાઓનો દૂરથી જ ત્યાગ કરવો જોઇએ : કારણ કે-ઉત્તમ પાત્ર રૂપ યતિઓ તેઓ જ છે, કે જેઓ પાંચ સમિતિઓને પણ ધરનારા હોય. યતિઓ ગુપ્તિશાલી પણ હોવા જોઇએ :
- યતિઓ જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયથી સહિત જોઇએ, તેમ આપણે જેનું સંક્ષેપથી વર્ણન કરી આવ્યા એ પાંચ સમિતિઓના ધારક પણ જોઇએ અને “ત્રણ ગુપ્તિઓથી શોભતા' પણ હોવા જોઇએ. આત્માના સંરક્ષણને અથવા તો મુમુક્ષુના યોગનિગ્રહને ગુપ્તિ કહેવાયા છે. દેહના સંરક્ષણને છોડીને આત્માના સંરક્ષણને કરવું, એનું નામ ગુપ્તિ છે. મન-વચન-કાયાનો નિગ્રહ કરવો અને એ દ્વારા આત્માનું સંરક્ષણ કરવું, એ ઘણું જ આવશ્યક છે. સખ્ય પ્રવૃત્તિને
જ્યારે સમિતિ કહેવાય છે, ત્યારે પ્રવૃત્તિ-નિવૃત્તિ લક્ષણ ગુપ્તિ કહેવાય છે. ગુપ્તિ પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ કેમ છે ? -એ વાત હવે આપણે હમણાં ગુપ્તિનું સંક્ષેપથી વર્ણન વિચારીએ છીએ, એથી સમજાશે. મનોગતિના ત્રણ પ્રકારો -
ગુણિઓ ત્રણ છે એક મનોગુપ્તિ, બીજી વાગૂતિ અને ત્રીજી કાયમુર્તિ. આ ત્રણમાં પ્રથમ જે મનોગુપ્તિ છે, એ ત્રણ પ્રકારની છે :
(૧) ત્રણમાં પ્રથમ પ્રકારની મનોગુપ્તિનું સ્વરૂપ વર્ણવતાં ઉપકારિઓ ક્રમાવે છે કે-આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો અનુબન્ધ કરનારી જે કલ્પનાઓ, તેની જે જાલ, તેનો વિયોગ એનું નામ પ્રથમ પ્રકારની મનોગુપ્તિ છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન, એ સંસારને વધારનારાં અને
ને આપનારાં ધ્યાનો છે. દુનિયા સંબંધી સઘળાય સારા-ખરાબ વિચારો, આ બે ધ્યાનોમાં સમાઇ જાય છે. આ બે ધ્યાનોના સંબંધમાં ઘણું ઘણું કહેવા જેવું છે, પણ હાલ આટલું ટૂંકું જ આ બે ધ્યાનના સમ્બન્ધમાં સમજાવીને આગળ ચાલવું પડે તેમ છે. પાપવર્ધક વિચારોથી મનને દૂર કરવું, એનું નામ પ્રથમ પ્રકારની મનોગુક્તિ છે. મન ઉપર એવો કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવો જોઇએ, કે જેથી તે દુનિયાદારીની કોઇ પણ વિચારણામાં જોડાય નહિ. દુન્યવી સુખની ઇચ્છા, એ જ આ દુર્ગાનોનું મૂળ છે. એ ઇચ્છા ઉપર જેટલે અંશે કાબૂ આવી જાય, તેટલે અંશે દુર્ગાનથી બચી
Page 118 of 211