________________
પણ, જેઓ ભાષાના દોષથી બચતા નથી, તેઓ ખરે જ કમનસિબ છે. દાત્મિક્તાથી મધુર બોલવું, એ પણ ભાષાસમિતિ નથી. દુર્જનોની ભાષામાં મધુરતા હોય છે, પણ તે દમ્મથી હોય છે. દુર્જનોની. જીભના અગ્રભાગમાંથી ભલે સાકર ખરતી હોય, પણ તેઓના પ્રત્યેક રોમે હાલાહલ વિષ હોય છે. સજ્જનોની વાણીમાં કદી કદી કટુતા દેખાય છે, છતાં તે સારા પરિણામ માટે જ હોય છે. સજ્જન પુરૂષોની કટુતાની ટીકા કરનારા દુર્જનો જ હોય છે. હિતકારિણી કટુતા પણ મધુરતા જ છે. ભાષાના દોષોનો ત્યાગ કરનારા અને ધૂર્તો, કામુકો, હિંસકો, ચોટ્ટાઓ અને નાસ્તિકો આદિની ભાષાનો ત્યાગ કરનારા પુણ્યાત્માઓની વાણી સૌ કોઇનું હિત કરનારી જ હોય છે. હિતકારિણી ભાષાને પણ કટુ ભાષા કહેનારા ખરે જ અજ્ઞાનો છે. ભાષાના દોષો અને ધૂર્ત આદિના ભાષિતોને તજીને હિતકારી બોલનારા મહાત્માઓ પરિમિત જ બોલનારા હોય. આ જ કારણે, ઉપકારિઓ ક્રમાવે છે કે-ઉત્તમ આત્માઓ મધુર, યુક્તિયુક્ત, થોડું, કાર્ય માટે જરૂરી, ગર્વ વિનાનું, અતુચ્છ અને બોલવા પૂર્વે શુદ્ધ મતિથી વિચાર કરીને જે ધર્મસંયુક્ત હોય છે તે જ બોલે છે. પંડિત પુરૂષો જેમ અસત્ય અગર સત્યાસત્ય વાણીને નથી ઉચ્ચારતા, તેમ કેટલીક એવી પણ તથ્ય વાણીને નથી ઉચ્ચારતા, કે જે વાણી તથ્ય હોવા છતાં પણ હિતઘાતકતા આદિવાળી હોય. તથ્ય પણ વાણી પ્રિય અને હિતકારી હોવી જોઇએ. આથી જ ઉપકારિઓ માને છે ક-પંડિત પુરૂષોએ જે વાણીનો સ્વીકાર કર્યો નથી, તેવી વાણીનો બુદ્ધિશાળી આત્માએ ત્યાગ કરવો જોઇએ. જેમ હિંસા-અહિંસાના સંબંધમાં ઘણું સમજવા જેવું છે, તેમ વાસ્તવિક રીતિએ સત્ય કોને કહેવાય અને અસત્ય કોને કહેવાય, એ પણ સમજવાની જરૂર છે. એને નહિ સમજનારાઓ અહિંસાના નામ હિંસાના ઉપાસક બનવાની જેમ, સત્યના નામે પણ અસત્યને જ બોલનારા બને છે. ત્રીજી એષણા-સમિતિ :
હવે ત્રીજી સમિતિનું નામ છે- “એષણાસમિતિ” અણાહારી પદના અર્થી મુનિવરો અનશન આદિ તપોની આચરણાના રસીયા હોય છે : છતાં સંયમયાત્રાના નિર્વાહ માટે તપસ્વી પણ મુનિવરોને આહાર નથી જ લેવો પડતો એમ નહિ :પરન્ત શ્રી જૈનશાસનના મુનિવરો સંયમયાત્રાના નિર્વાહ માટે જ આહારના લેનારા હોવાના કારણે, આહાર કરવા છતાં પણ, તે મહાત્માઓને ઉપવાસી કહેવાય છે. સંયમાદિની રક્ષા માટે જ આહારના ગ્રહણ કરનારા પણ મુનિવરોને માટે, અનંત ઉપકારિઓએ બેંતાલીશ દોષોથી અદૂષિત એવો આહાર લેવાનું વિધાન કર્યું છે. બેંતાલીશા દોષોના વર્જનપૂર્વક મેળવેલા પણ તે આહારનો, પાંચ દોષોથી રહિતપણે જ ઉપયોગ કરવાનું ઉપકારિઓએ ક્રમાવ્યું છે. એ પ્રમાણે વર્તનારા મહાત્માઓ જ એષણા-સમિતિના પાલક કહેવાય. છે. બેંતાલીશ દોષથી અદૂષિત એવો આહાર મેળવવો અને પાંચ દોષોથી રહિતપણે એ આહારનો ઉપયોગ કરવો, એનું નામ “એષણાસમિતિ” છે. રસનાના ગુલામો અને ખાવામાં જ આનંદ માનનારાઓ, એ સમિતિના પાલનમાં પંગુ બને, એ સ્વાભાવિક વસ્તુ જ છે. મુનિપણાના આસ્વાદને પામેલા આત્માઓ રસનાને આધીન બની આહારમાં લખ્યુટ બને એ શક્ય નથી અને એવા જ આત્માઓ આ સમિતિનું પાલન કરી શકે છે. આહારલપેટતા, એ પણ અત્યન્ત ભયંકર વસ્તુ છે. પરિણામે મુનિપણાની તે ઘાતક પણ નિવડે છે, માટે કલ્યાણકામી મુનિઓ એને આધીન બનતા જ નથી. એવા મુનિઓ પ્રથમની બે સમિતિઓનું જેમ સુંદરમાં સુંદર પાલન કરે છે, તેમ આ ત્રીજી
Page 115 of 211