________________
હોય, એ ક્રિયા વચનાનુષ્ઠાન છે. એ નિશ્ચયનયની દ્રષ્ટિએ ચારિત્રવાન સાધુને જ હોય છે. કેમકે એમનું ગુણસ્થાનક છઠ્ઠ સર્વ વિરતિનું હોવાથી ત્યાં લોકસંજ્ઞાનું બંધન નથી હોતું અને એ જ સંસારરૂપી કિલ્લાને ઓળંગી જાય છે. ત્યારે વ્યવહારનયની દ્રષ્ટિએ મુનિ નહિ એવા બીજા પણ જિનાજ્ઞા પ્રધાન કરીને પ્રવર્તમાન માર્ગાનુસારી જીવને એ વચનાનુષ્ઠાન અંશે હોય છે.
૪ અસંગાનુષ્ઠાન - જે અનુષ્ઠાન, એના વારંવારના આસેવનથી ઊભા થયેલ વિશિષ્ટ સંસ્કારના બળે, જેમ ચંદનમાં સુવાસ, તેમ જીવની સાથે આત્મસાત્ થઇ ગયું હોય એ રીતે જિન કલ્પિકાદિ સપુરુષો વડે સેવવામાં આવે છે. તેને “અસંગાનુષ્ઠાન” કહે છે. એ જિનાગમના મૌલિક સંસ્કારમાંથી જન્મે છે.
વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં ક એ છે કે કેવી રીતે ચાકડો પહેલાં કુંભારના દંડા પરના પ્રયત્નથી ચાલે છે, અને દંડો લઇ લીધા પછી એના સંસ્કાર ઉભા હોવાથી એમને એમ જાણે સહજ ભાવે ચાલે છે, તેવી રીતે પહેલાં જિનાગમના આદેશોના પૂરા સ્મરણ, પૂરા લક્ષ અને પાલન સાથે વચનાનુષ્ઠાન પ્રવર્તે છે, અને પછી એ આગમદેશો અને બહુસંખ્યક વચનાનુષ્ઠાનોના સંસ્કારબળે આગમ નિરપક્ષ અર્થાત આગમાદેશોનું સ્મરણ થયા વિના જ સહજભાવે અસંગાનુષ્ઠાન પ્રવર્તે છે. અસંગ એટલે સંગ નહિ, નહિ શાસ્ત્રનો, કે નહિ મોક્ષની તાલાવેલીનો. સુખ-દુઃખ અને સંસાર-મોક્ષ પ્રત્યે એ અસંગ સમભાવ યાને નિસ્પૃહભાવ રખાવે છે. ક્રિયા થાય છે તે પણ ઇચ્છા કર્યા વિના, સૂર્યના પ્રકાશદાનની જેમ સહજભાવે થાય છે. ક્રિયા થઇ જાય ખરી, પણ ક્રિયાનો રાગ નહિ.
પ્રીતિ-ભક્તિ-અનુષ્ઠાન માટે દ્રષ્ટાન્ત પત્ની પ્રત્યેનાં કર્તવ્ય અને માતા પ્રત્યેનાં કર્તવ્યનાં નનું અપાય છે. ગૃહસ્થ માણસને પત્ની અત્યન્ત વલ્લભ હોય છે, તેમ માતા પણ હિતકારિણી હોવાથી અત્યંત પ્રિય ઉપરાંત પૂજ્ય હોય છે. બંનેને ભાજન, વસ્ત્ર, ઔષધ વગેરે કરાવવાનાં કાર્ય સમાન હોય છે. છતાં પત્નીનાં કાર્ય પ્રીતિથી થાય છે, અને માતાનાં કાર્ય ભક્તિથી થાય છે. આમાં કાર્ય કરતી વખતે દિલના અમુક ભાવમાં ક પડે છે. બન્નેનું કાર્ય કરતી વખતે બીજાં કાર્યનાં ત્યાગ રખાવે એવી દિલની એકનિષ્ઠા સમાન, છતાં માતાનાં કાર્યમાં પ્રેમ ઉપરાંત વિશેષ સમજ સાથે એની પ્રત્યે ગૌરવ, પૂજ્યભાવ, અને એ ઉપકારક તરીકે ભારે કૃતજ્ઞભાવ હૈયે ઝળહળતો હોય છે. માનવતા અહીં જીવંત રહે છે. આજની જડવાદી કેળવણી આ કશું શિખવતી નથી.
પ્રભુ અને પ્રભુએ આદેશેલ અનુષ્ઠાનો પ્રત્યે આ પ્રીતિ અને ભક્તિ બંનેના ભાવ એટલે કે હયે પ્રીતિ, વિશેષ સમજ, પૂજ્યભાવનું ગૌરવ, અતિશય પ્રયત્ન અને એકનિષ્ઠતા ઝગમગતા રાખવાના છે. હજય શ્રદ્ધાનો ખપ કરાય છે. પણ ત્યાં મંદ પ્રયત્નવાળી ક્રિયા થાય છે. અને બીજી ક્રિયા અગર તેના ચિંતનનો શંભુમેળો કરાય છે. ત્યારે દિલમાં પ્રીતિ-ભક્તિના ભાવ જીવતા-જાગતા રાખવાનું કે ઉછળતા કરવાનું વિસરી જવાય છે. વીતરાગ બનવું છે તો પરમાત્માનો અનંત ઉપકાર, એમના અનંત ગુણો, અને એમનો અચિંત્ય પ્રભાવ જરાય વિસર્યા વિના. એટલે ? દરેક શુભ પ્રાપ્તિમાં એ યાદ કરીને, અને અશુભ પ્રાપ્તિમાં ય પૂર્વે એને આપણે ન ઝીલ્યાનું આ પરિણામ છે- એ ધ્યાન પર લાવી લાવીને, હવે હૃદયે પ્રીતિ-ભક્તિના મોજાં ઉછાળવાનાં. કૃતજ્ઞતા એ પાયાનો ગુણ છે. એ હૈયે વિલશતી રહે એટલે આ શક્ય છે. સાથે એમ થાય કે વીતરાગ બનવા માટે સતીના સુશીલ અને પ્રેમાળ પતિ પ્રત્યેના પ્રેમની જેમ વીતરાગ પ્રત્યે અથાગ રાગ પહેલાં કરું તો જ દુન્યવી રાગ છૂટશે. તો જ વીતરાગની આજ્ઞાને જીવનના પ્રાણ બનાવવાનું સત્ત્વ વિકસશે, અને ખીલેલું સત્તા
Page 110 of 211