________________
કે બીજું કાર્ય કરવાનું હોય તો, ગુરુ પૂછવા ગયેલા શિષ્યને તે પ્રમાણે માવી શકે.
બીજી રીતે પ્રતિકૃચ્છા શાસ્ત્ર એમ બતાવે છે કે કાર્ય કરવા નીકળતાં કોઇ અપશુકન યા અનિષ્ટ શબ્દનું શ્રવણ વગેરે દુર્નિમિત્ત ઉપસ્થિત થાય તો આઠ શ્વાસોચ્છવાસ-પ્રમાણ અર્થાત્ એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પછી નીકળતાં ફરી દુર્નિમિત્ત ઊભું થાય તો દ્વિગુણ પ્રમાણ કાઉસ્સગ્ગ કરવો. તે પછી પણ નીકળતાં દુર્નિમિત્ત ઊભું થાય તો સંઘાટકમાં નાનાને આગળ કરી મોટાએ પાછળ રહેવું. ત્યાં ગુરુને ફરી પૂછવું તે પ્રતિપૃચ્છા.
હવે શિષ્ય એક વાર પૂછ્યું તો ખરૂં, પણ એમેય બને કે-ગુરૂ તે વખતે તે પ્રવૃત્તિને કરવાનો નિષેધ પણ કરે : ‘ આ કરવા જેવું નથી’ -અમેય કહી દેઃ આમ છતાં પણ, શિષ્યને કોઇ એવો પ્રસંગ હોય તો એમ પણ લાગે કે- ‘ગુરૂએ નિષેધ તો કર્યો, પણ અમૂક કારણો એવાં છે કે-આ કરવું જ જોઇએ. આવા પ્રસંગે શિષ્ય શું કરે ? ગુરૂ એક વાર નિષેધે એટલે ચૂપ તો થઇ જાય, પણ પછી થોડો સમય જવા દઇને, ફેર ગુરૂની પાસે તે કાર્ય કેમ કરવા જેવું છે-એનાં કારણો રજૂ કરે અને કારણો રજૂ કરીને શિષ્ય કહે કે ‘આ આ કારણોસર આ કૃત્ય કરવું છે : એટલે જો આપ પૂજ્ય આજ્ઞા માવતા હો તો હું કરૂં.' આ પ્રમાણે પુનઃ પૂછવું તે અથવા તો ગ્રામાદિએ જવાની આજ્ઞા પામેલા શિષ્યે ગમનકાળે પુનઃ પૂછવું તે, આનું નામ છે- ‘પ્રતિપ્રચ્છના.’
(૮) છંદના - વહોરી લાવેલ આહારાદિનો લાભ આપવા, ગુરૂની આજ્ઞા મેળવીને ગ્લાન, બાળ આદિને નિમંત્રણ કરવું તે છંદના.
અહીં ગુરુ આજ્ઞાથી કહ્યું એ સૂચવે છે કે સ્વતંત્રતાથી કે સામાન્ય રત્નાધિકના આદેશથી નહિ. બીજું લેનારને પણ નિર્જરા છે, અને સામાએ ન લીધું તો પણ વિનંતી કરનારને નિર્જરા છે,
માત્ર મનના પરિણામ નિર્મળ જોઇએ.
સાધુએ આહાર-પાણીની સામગ્રી લાવ્યા પછીથી- ‘મારી ઉપર અનુગ્રહ કરો અને આપ આ વાપરો' -આ પ્રકારની બીજા સાધુઓને વિનંતિ કરવા દ્વારા, પોતે પૂર્વે આણેલા અશનાદિનો પરિભોગ કરવાને માટે અન્ય સાધુઓને ઉત્સાહિત કરવા, આનું નામ છે- ‘છંદના.’
(૯) નિમંત્રણા- સ્વાધ્યાય-ધ્યાન કરી લીધા પછી રત્નાધિકની સેવા વૈયાવચ્ચનું કાર્ય ન હોય તો ગુરુની રજા માગે કે હું મુનિઓ માટે આહારપાણી લાવું ? જો રજા મળે તો પછી મુનિઓને વિનંતિ કરે ‘હું તમારા માટે શું લાવું ?' આને નિમંત્રણા કહેવાય. આનો લાભ દરિદ્ર માણસને રત્નાકરનું રત્ન મળી જવા જેવો છે. આથી ભાવી મોક્ષ સુધીનો લાભ અને અનિત્ય દેહાદિનો ઉત્તમ સદુપયોગ થાય છે.
પોતે જે વસ્તુ લાવ્યા નથી એવી પણ અશનાદિની વસ્તુને માટે- ‘હું તે વસ્તુ મેળવીને આપને આપીશ.' -આ પ્રમાણે કહીને સાધુઓને તે વસ્તુને માટે નિમન્ત્રણ કરવું, આનું નામ છે ‘નિમન્ત્રણા.’
દશમી છે ઉપસંપર્ ! શ્રુતાદિના કારણે ‘હું આપનો છું.' -એમ કહીને અન્ય આચાર્ય મહારાજ આદિનો સ્વીકાર કરવો, આનું નામ છે- ‘ - ‘ઉપસંપર્.’ સામાચારીપાલનની આવશ્યક્તા ઃ
આ દશેય પ્રકારની સામાચારી સાધુઓને માટે છે અને સાધુઓ જે જે અવસરે જે જે
Page 106 of 211