________________
બેસવાથી કે ઉભા રહેવા આદિથી વિકાર જન્મે તેવી સંભાવના હોય, એવા સ્થાનનો પરિત્યાગ કરવો એ શ્રેયસ્કર છે. આ પ્રકારના વર્તનવાળી ભાવનાથી નિરંતર ઓતપ્રોત રહેવું, એમાં જ ચોથા મહાવ્રતની વિશુદ્ધિ છે. સરાગ-ઝીક્યા-ત્યાગઃ
૨- ચોથા મહાવ્રતની બીજી ભાવના છે- “સરાગ-સ્ત્રીકથા-ત્યાગ' નામની. મોહોદયવાળા આત્માની સ્ત્રીઓ સાથે વાતો અથવા તો સ્ત્રીઓની કથા એનો પણ પરિત્યાગ અથવા રાગવાળી. સ્ત્રીઓની સાથે અને રાગવાળી સ્ત્રીઓની કથા એનો પણ પરિત્યાગ, આ બીજી ભાવનાનો પરમાર્થ છે. અમુક દેશની સ્ત્રીઓ આવી આવી છે, અમુક જાતિની સ્ત્રીઓ આવી અને તેવી હોય છે, અમુક કુલની સ્ત્રીઓ બહુ સારી અને અમુક કુલની સ્ત્રીઓ બહુ ખરાબ તથા ભિન્ન ભિન્ન દેશોની સ્ત્રીઓનાં વસ્ત્રો, ભાષા, ગતિ, વિભ્રમ, ઇંગિત, હાસ્ય, લીલાકટાક્ષ, પ્રણયકલહ આદિને સ્પષ્ટ કરતી શ્રૃંગારરસથી અનુવિદ્ધ એવી રાગાનુબબ્ધિની કથા, એ પવન જેમ સાગરને ક્ષોભ પમાડે છે તેમ, ચિત્ત રૂપી સાગરને અવશ્ય ક્ષોભ પમાડે છે : માટે સ્ત્રીઓએ પુરૂષોની અને પુરૂષોએ સ્ત્રીઓની શૃંગારરસવાળી રાગાનુબધિની કથા બંધ કરવી જ જોઇએ. આવી ળવતી ભાવનાને પ્રત્યેક મહાવ્રતીએ આત્મસાત્ બનાવી દેવી જોઇએ. આ ભાવના એ બ્રહ્મચર્યને સુવિશુદ્ધ રાખવા માટે ઘણી જ જરૂરી છે. આ ભાવના ભાવવામાં અને એના અમલમાં જેટલી કચાશ તેટલી ખામી સુવિશુદ્ધ બ્રહ્મચર્યના પાલનમાં પણ મોટે ભાગે આવ્યા વિના રહેતી નથી : આ કારણે, સંયમી આત્માઓએ સંયમની વિશુદ્ધિ માટે આ ભાવનાને અમલી બનાવી, એની ઉપાસનામાં જ એકતાન થવું એ એકાંતે હિતાવહ છે. પૂર્વરતનું સ્મરણ પણ ન ક્રવું -
૩- ચોથા મહાવ્રતની ત્રીજી ભાવના- “પૂર્વરતસ્મૃતિ વર્જન' એ નામની છે. દીક્ષા પહેલાં અથવા તો બ્રહ્મચર્યના સ્વીકાર પહેલાં ગૃહસ્થાવસ્થામાં સ્ત્રીઓ સાથે કરેલી જે કામક્રીડાઓ, તેની મૃતિનું પણ વર્જન કરવું, એ આ ત્રીજી ભાવનાનો પરમાર્થ છે. ખરેખર, આ ભાવના જો આત્મસાત્ બની જાય, તો પૂર્વની સ્મૃતિ આવે પણ નહિ અને કદાચ આવે તો આત્મા એને હાંકી કાયા વિના રહે જ નહિ. પૂર્વની કામક્રીડાઓનું સ્મરણ કરવાથી કામાગ્નિ સળગી ઉઠ્યા વિના રહેતો નથી. કુસંસ્કારો ઝટ જાગૃત થઇ જાય છે. કુસંસ્કારોની જાગૃતિ આત્માને કલુષિત કર્યા વિના રહેતી નથી. એમાંય કામવિલાસની સ્મૃતિ, એ તો આત્માને ઉન્મત્ત બનાવનારી નીવડે છે. જેઓને- “હું આમ પરણ્યો હતો અને પરણતી વખતે આમ બેઠો હતો અને તેમાં બેઠો હતો.” –આવી આવી વાતો કરવામાં આનંદ આવે છે, તેઓ કામવિલાસમાં જ મરી રહેલા હોય છે. વૃદ્ધાવસ્થામાં પણ એવાઓને એવી એવી રીતિએ કામવાસનાને તૃપ્ત કરવા માટે કામની ચેષ્ટાઓ કર્યા કરવી પડે છે. સાચે જ, સાચા બ્રહ્મચારી આત્માને આવી વાતો કરવાનું, સાંભળવાનું વાંચવાનું મન સરખું પણ થતું નથી. જેઓ આવી પૂર્વ સ્મૃતિથી સદાય પરામુખ રહે છે, તેઓ પોતાના બ્રહ્મચર્યને સો ટચના સોનાની માફ્ટ સુવિશુદ્ધ રાખી શકે છે. રૂપદર્શનની મનાનો પરમાર્થ :
Page 94 of 211