________________
શ્રી જિનમંદિર સંબંધી શ્રાવની ઉચિત ચિન્તા
શાત્રે તો દરેકે દરેક શ્રાવકને ઉદેશીને ઉચિત ચિન્તામાં રત બનવાનું ક્રમાવ્યું છે. શ્રાવકે શ્રી જિનમન્દિરની ઉચિત ચિન્તા કેવી રીતિએ કરવી, તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રી જિનમન્દિરમાં સફાઇ રાખવી; શ્રી જિનમન્દિર અથવા તો તેનો ભાગ પડી જાય તેવો થયો હોય તો તેને તરત સમરવી લેવો; પૂજા કરવાનાં ઉપકરણો જે ખુટતાં હોય તે પુરાં કરવાં; મૂળનાયક ભગવાનનું તથા પરિવારના-એમ સઘળાંય શ્રી જિનબિમ્બોને નિર્મળ રાખવાં; ઉત્કૃષ્ટી પૂજા કરવી તથા દીપાદિકની ભવ્ય શોભા કરવી; શ્રી જિનમન્દિરની ચોરાશી આશાતનાઓ ટાળવી; ચોખા, ળ, નૈવેદ્ય આદિની ઉચિત વ્યવસ્થા કરવી; ચન્દન, કેસર, ધૂપ, દીપ અને તેની સામગ્રીનો સંગ્રહ કરવો; દેવદ્રવ્યનો નાશ થતો હોય તો તેને અટકાવવાને માટે બનતું બધું ઉચિત રીતિએ કરવું, બે-ચાર સારા સાક્ષીઓ રાખીને દેવદ્રવ્યની ઉઘરાણી કરવી; દેવદ્રવ્યનું યતનાથી રક્ષણ કરવું, દેવદ્રવ્યની આવક-જાવકનું નામું ચોખ્ખું રાખવું, દેવદ્રવ્યની વૃદ્ધિ પોતે પણ કરવી તથા બીજાઓની પાસે પણ કરાવવી અને મંદિરના નોકરોને પગાર પણ આપવો તથા તેઓ તેમને સોંપાએલું કામ બરાબર કરે છે કે નહિ-તેની બરાબર તપાસ રાખવી આ વિગેરે શ્રી જિનમન્દિરની ઉચિત ચિન્તા કહેવાય છે અને શ્રાવકોએ તે કરવી જ જોઇએ. શ્રી જિનમન્દિરનાં કાર્યો થાય અને શ્રી જિનમન્દિરને ખર્ચ ભોગવવો પડે નહિ અથવા તો ખર્ચ ઓછો ભોગવવો પડે, એ માટે શાસ્ત્ર કહે છે કે-દ્રવ્યથી અથવા નોકરો દ્વારા બની શકે એવાં કાર્યો ત્રાદ્ધિમાન શ્રાવકથી વગર પ્રયાસ થઇ શકે છે. દ્વિમાન શ્રાવકના આશ્રિત આદિ ઘણા હોય, એની શરમ પણ ઘણી પડે, એટલે એ જો જરાક ધ્યાન પર લે, તો શ્રી જિનમન્દિરનાં ઘણાં કામો વગર ખર્ચે અને વગર નોકરે પતી જાય. એવી જ રીતિએ, અત્રદ્ધિમાન શ્રાવકને ઉદેશીને શાસ્ત્ર કહે છે કે-એવા માણસો પણ શ્રી જિનમન્દિરનાં ઘણાં કામો. વગર ખર્ચે અને વગર નોકરે થઇ જાય એવું કરી શકે છે : તે એવી રીતિએ કે-પોતાની જાતમહેનતથી થાય તેવાં કામો પોતે જાતે કરે અને પોતાના કુટુંબનાં માણસોથી બની શકે એવાં કામો તેમની પાસે કરાવી લે. ભાગ્યવાનો ! વિચારો કે-દ્ધિમાન શ્રાવકો અને અદ્ધિમાન શ્રાવકો જો આ રીતિએ શ્રી જિનમન્દિરની ઉચિત ચિંતા કરે, તો શ્રી જિનમદિરો કેવી જાહોજલાલીને પામે અને એથી શ્રી જૈન શાસનની પણ કેવી સુન્દર પ્રભાવના, થાય કે સૌ કોઇ પોતપોતાનાથી શક્ય કાર્યો કરવા માંડે, તો એથી શ્રી જિનમન્દિર તો આબાદ બને, સમાજ પણ સુન્દર સંસ્કારોની મહાન આબાદીનો સ્વામી બને.
દ્રવ્ય અને મ્બ કરતાં પણ શ્રી જિનપ્રતિમા શ્રી જિનમત અને શ્રીસંઘ ઉપર અધિક પ્રીત
શાસ્ત્ર કહે કે-શ્રાવક જેમ શ્રી જિનમન્દિરની ઉચિત ચિન્તાને કરનારો હોવો જોઇએ, ધર્મશાળા, ગુરૂ અને જ્ઞાન આદિની પણ ઉચિત ચિન્તાને કરનારો હોવો જોઇએ. ધર્મશાળા, ગુરૂ અને જ્ઞાન આદિની પણ શ્રાવકે પોતાની સર્વ શક્તિથી ઉચિત ચિન્તા કરવી જોઇએ, કારણ કે-શ્રાવકો જ દેવ-ગુરૂની ચિન્તા કરનારા છે. તેઓ જે દેવ-ગુરૂની ઉપેક્ષા કરે, તેમના કામમાં ઢીલ
Page 48 of 211