________________
દુર્ગતિપતન અવરોધક અને સુગતિસંપ્રાપક જે તત્ત્વ હોય, તે જ તત્ત્વ ધર્મ રૂપ કહેવાય છે. જો ધર્મની આ વ્યાખ્યા માન્ય તથા પ્રામાણિક હોય, તો એના સાધક અન્ય પણ સાધનો ધર્મ રૂપ જ છે તથા એ સાધનોનાય સાધક સાધનો પણ ધર્મ રૂપ જ છે.
એટલે કે-જે સાધનોના આશ્રયથી મૌલિક ધર્મના સાધનો સંચિત થાય છે અને મૌલિક ધર્મસાધક સાધનો જે છે તે પણ ધર્મ રૂપ જ છે. એ સાધનોમાં જે મહોપકારિઓએ એ સાધનોનું પરિપૂર્ણ યથાઈ આલંબન લઇ ધર્મને સિદ્ધ કર્યો અને તેનું પ્રદર્શન કર્યું, તે ભગવંતોનાં સેવન-પૂજના આદિનું તથા સામાયિક કિંવા આવશ્યકાદિનું સમાવેશ થાય છે.
પરન્તુ એ પૂજન સેવનાદિ સર્વદા અને સર્વથા અત્યાજ્ય હોય તથા સામાયિકાદિ કિંવા દાનાદિક સર્વત્ર સેવ્ય હોય, તો જ તે સાધન રૂપે મુખ્યત્વે બની શકે છે. અંધપિ એનું કાદાચિક સેવન પણ કોઇક વ્યક્તિને ક્લીભૂત થઇ પણ જાય, એ સંભવિત છે. આથી અહર્નિશ અશક્ય હોય તોય એનું કદાચિત સેવન પણ આવશ્યક તો છે જ. તથાપિ મુખ્ય નિયમ એવો ખરો કે-એનું સર્વાદિક અને સાર્વત્રિક સેવન પરિપૂર્ણ અને તાત્કાલિક ફ્લપ્રદ બની જાય.
એ ખ્યાલમાં રાખવું કે-આ સઘળાનુંય સાદર સેવન મુખ્ય ધર્મના સેવન પર્યન્ત દોરી જનારા સાધનો છે તેથી છે. પરન્તુ આ સાધનોનું સત્ય સેવન તો જ્યારે એનાય જે સાધનો-નૈતિક જીવન, પ્રામાણિકતા-મુદ્રાલેખ, અશઠતા, ગંભીરતા, ઉદારતા, ધીરતા, સ્થિરતા, સહિષ્ણુતા અને ધર્મરોચકતા તથા અર્થિતા-જિજ્ઞાસા પ્રમુખ ગુણ રૂપ છે-તેનો સાદર સ્વીકાર થશે ત્યારે જ શક્ય છે, અન્યથા નથી.
આ પ્રકારના પૂર્વતન ગુણોથી અલંકૃત બન્યા બાદ જેઓ તે તે પૂજન-સેવન પ્રમુખ ગુણો રૂપી સાધનોનું અવલમ્બન સ્વીકારે છે, તેઓ પરિણામે નિ:શંકતયા સત્ય ધર્મની પ્રાપ્તિ કરી શકે છે એ નિર્વિવાદ છે; પરન્તુ આ સાધન રૂપ ધર્મની, આરાધના સમયે પણ અનેકશઃ વિકટ સંકટો ઉપસ્થિત થવાની પૂર્ણ સંભાવના છે.
જો એ સંકટની વિકટ સંકડામણથી નૈતિક હિમ્મત હારી જવાય અને ધૈર્ય દાખવી એનોવિજય ન મેળવાય, તો એનું આરાધન ન જ થઇ શકે.
આથી જેમ એ સાધનોનું સેવન આવશ્યક છે, કે જેથી વાસના આદિનો પરિહાર થાય, સત્ય ધર્મની પ્રાપ્તિ થાય અને અણમોલા માનવજીવનની સફ્લતા થાય, તેમ વીર્ય ફોરવી અને ધૈર્ય દાખવી એ ઉપસ્થિત થયેલા વિનોનો વિજય મેળવવો, પ્રતિજ્ઞાત અને આરક્વકાર્યની યાવત્ પૂર્ણાહુતિ સ્થિરતા જાળવવી, દ્રઢતા દાખવવી અને એનો નિર્મલનિર્વાહ કરવો-પાલન કરવું, એ પણ આવશ્યક છે.
જો એ પ્રકારે તે તે સુયોગ્ય નિયમોથી જીવનનું ઘડતર ઘડવામાં આવે અને પ્રાણના ભોગેય તેનું યથાર્થ પાલન કરવામાં આવે, તો આ અમૂલ્ય જીવન એક આદર્શ રૂપ દિવ્ય જીવન બન્યા વિના રહે નહિ. જેના જીવનનો એક જ સિદ્ધાન્ત કિવા મુદ્રાલેખ છે કે-પ્રાણોની આહુતિ અર્પવી, કિન્તુ જેની પ્રતિજ્ઞા સ્વીકારી અથવા જેનો નિયમ લીધો તેનો ભંગ ન જ કરવો, પણ યથાયોગ્ય એનું પાલન કરવું, ભલે પછી એ ખાતર સર્વસ્વની ક્નાગીરી સ્વીકારવી પડે, ગજબનાક ખુવારી વેઠવી પડે અથવા તો અગ્નિમાં પ્રવેશવું પડે, તથાપિ અંગીકૃત ત તે પૂજન સેવનાદિ વિષયક નિયમોનું તો નિરધ પાલન કરવું. આવા મહાનુભાગો પરિણામે દિવ્ય વિભૂતિ રૂપ બને તેમાં શંકા ન જ હોય તથા
Page 39 of 211