Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 36
________________ બત્રીશી-૩, લેખાંક-૧૭ ૧૭૧ વાત નથી પણ અનેક ગીતાર્થો જે આચરતાં હોય એની અહીં વાત છે. બહુમતિ ગીતાર્થોએ લીધેલા નિર્ણયમાં આવી સંભાવના સંભવતી નથી. જે સંવિગ્નગીતાર્થ નથી એનું તો સુંદર બુદ્ધિથી કરેલું આચરણ પણ ઘણુંખરું પરિણામે સુંદર બનતું નથી, એવું શ્રી ઉપદેશમાળામાં કહ્યું છે જે આપણે આગળ જોઈ ગયા છીએ. આચરણમાં જે રાગ-દ્વેષ પ્રયુક્ત શિથિલતા આવે છે તે તો રાગવૈષ પ્રયુક્ત હોવાના કારણે જ “જીત' રૂપ બનતી નથી એ સ્પષ્ટ છે. અર્થાત્ એવા કોઈ દેશ કાળાદિને નજરમાં લેવામાં આવ્યા નથી, પણ રાગ-દ્વેષ કે પ્રમાદને વશ બની શિથિલ આચરણ કર્યું, ને પછી એના બચાવ માટે દેશ-કાળને આગળ ધરવામાં આવે તો એ વિરાધનારૂપ છે એ સ્પષ્ટ જ છે. શંકા-સંવિગ્નગીતાર્થોનું આચરણ “માર્ગ'રૂપ બને એ બરાબર. પણ આચરણ માટેના પટ્ટક વગેરે કરનારા જે આચાર્ય વગેરે મહાત્માઓ છે એ બધા ગીતાર્થ થોડા છે? શાસ્ત્રના રહસ્યાર્થ તેઓ પામેલા ન હોવાથી અગીતાર્થ છે.. પછી એમના આચરણને વિરાધનારૂપ કેમ ન કહેવાય? સમાધાન - બીજા બધા અગીતાર્થ છે ને અમે જ સાચું તત્ત્વ સમજેલા હોવાથી ગીતાર્થ છીએ” આવું માનવાવાળા જ વસ્તુતઃ તત્ત્વના અજાણ અગીતાર્થ હોય છે એવું શ્રીયોગસારમાં કહ્યું છે. तात्त्विका वयमेवान्ये भ्रान्ताः सर्वेऽप्यतात्त्विकाः । રૂતિ મત્સરિnો તૂરોત્સારિતાસ્તવસારતઃ | ૨-૧૦ના અર્થ : “માત્ર અમે જ તત્ત્વના સાચા જાણકાર ગીતાર્થ છીએ. બીજા બધા તો તત્ત્વને સમજવામાં બ્રાન્ત થયેલા છે અને તેથી અતાત્ત્વિકઅગીતાર્થ છે. આવું જેઓ માને છે અને કહે છે તેઓ ઈર્ષ્યાખોર છે અને તત્ત્વના સારથી-ગીતાર્થપણાથી ક્યાંય દૂર ફેંકાઈ ગયા છે. વિશેષ આગળના લેખમાં વિચારીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146