Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 65
________________ ૨૦૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ઉત્તર : તો ક્યાં તો એવી સત્તા આપનાર ગુરુને ભદ્રિક માનવા પડે ને ક્યાં તો શિષ્ય મૃષાવાદ સેવી રહ્યો છે, એમ માનવું પડે. આશય એ છે કે ગુરુભગવંત જો ગીતાર્થ હોય ને શ્રી જૈનશાસનની મર્યાદાઓના જાણકાર હોય તો તેઓ જાણતા જ હોય છે કે શ્રી જૈનશાસનમાં બહુ સંખ્યક ગીતાર્થોની સંમતિથી શરૂ થયેલા આચરણમાં ફેરફાર કરવાનો કે એ આચરણને બંધ કરી દેવાનો અધિકાર કોઈ એકાદ મહાત્માને નથી. પણ એમાં વ્યક્ત કે અવ્યક્ત સંમતિવાળા બહુ સંખ્યક ગીતાર્થોને જ છે. એટલે ગુરુ ભગવંત જો સંવિગ્ન ગીતાર્થ છે, તો હું તને ઠીક લાગે ત્યારે આ પરંપરા બંધ કરી દે જે એવી સત્તા સ્વશિષ્યને સોંપે જ નહીં અને તેમ છતાં, શિષ્ય જો આવું કહેતો હોય તો સમજી શકાય છે કે એ જુઠાણું ચલાવી રહ્યો છે. એટલે નક્કી થયું કે પાપભીરુ સંવિગ્ન ગીતાર્થ ગુરુભગવંતના નામે શિષ્ય જો એવી વાત ચલાવતો હોય કે ગુરુભગવંત મને ફલાણો પટ્ટક-પ્રણાલિકા રદ કરવાની સત્તા સોંપી ગયા છે. તો એ શિષ્ય સરાસર જૂઠ બોલી રહ્યો છે એ વાત નિઃશંક છે. બીજી રીતે પણ વિચારવું હોય તો આ રીતે વિચારી શકાય. શું એ સંવિગ્ન ગીતાર્થ ગુરુભગવંતે પોતે એકલાએ જ એ પટ્ટકને અમલમાં મૂકેલો હોય કે બીજા મહાત્માઓની પણ સંમતિ લઈને અમલમાં મૂકેલો હોય ? પ્રશ્ન : બીજાઓની સંમતિ વિના-સાથ-સહકાર વિના તો પોતે એકલાએ આવા કોઈ નિર્ણય કરી શકાય જ નહીં. પછી ભલે ને પોતે પોતાના સમુદાયના અધિપતિ હોય” આવી શાસ્ત્રના રહસ્યાર્થરૂપ અને શાસનની મર્યાદારૂપ જે વાત છે એને સંવિગ્નગીતાર્થ ગુરુભગવંત પણ જાણતા જ હોય ને એટલે બધાની સંમતિ લઈને જ એ પટ્ટકની જાહેરાત ને અમલીકરણ કરવામાં આવ્યું હોય, એમ પણ માનવું જ પડે ને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146